Maha Kumbh 2025 : પ્રયાગરાજ અને હરિદ્રાર મહાકુંભ વચ્ચે કેટલો તફાવત? જાણો ક્યાંનું છે વધારે મહત્વ?

Maha Kumbh 2025 : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહા કુંભ મેળાની 13 જાન્યુઆરીથી શરૂઆત થવા જઈ રહી છે. આ કુંભમાં દુનિયાભરથી લોકો આવશે.

જણાવી દઈએ કે, કુંભ મેળો ભારતમાં દર 12 વર્ષે યોજાય છે. પ્રયાગરાજ સિવાય નાસિક, હરિદ્વાર અને ઉજ્જૈનમાં યોજાતા દરેક કુંભ મેળાનું અલગ મહત્વ છે.

Maha Kumbh 2025

જણાવી દઈએ કે, પ્રયાગરાજમાં યોજાતો કુંભ મેળો મહાકુંભ છે. આ દર 12 વર્ષે આયોજિત થાય છે. છેલ્લે 2013 માં પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ 2025 માં પ્રયાગરાજમાં ફરીથી કુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

પ્રશ્ન એ છે કે કુંભ મેળો ફક્ત પ્રયાગરાજમાં જ આયોજિત થાય છે તો તેનો જવાબ ના છે. પ્રયાગરાજ ઉપરાંત, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં પણ કુંભ મેળાનું આયોજન કરવામાં આવે છે.

આ મેળો 12 વર્ષના અંતરાલ પર ઉજવવામાં આવે છે, આ માટે ચારેય સ્થળો એક પછી એક પસંદ કરવામાં આવે છે. આ સમય દરમિયાન ભક્તો ગંગા, ક્ષિપ્રા, ગોદાવરી અને સંગમમાં સ્નાન કરે છે.

આ સિવાય અર્ધ કુંભ દર છ વર્ષે ઉજવાય છે. અર્ધ કુંભનું આયોજન ફક્ત બે સ્થળોએ થાય છે, પહેલું પ્રયાગરાજ અને બીજું હરિદ્વાર. તે દર છ વર્ષે આયોજિત થાય છે.

અહીં સવાલ થાય કે કુંભ મેળો ક્યાં યોજાશે તે કોણ પસંદ કરે? તો જણાવી દઈએ કે આ નિર્ણય જ્યોતિષીય ગણતરીઓના આધારે લેવામાં આવે છે. આ માટે હિન્દુ જ્યોતિષમાં મુખ્ય ગ્રહો છે - ગુરુ અને સૂર્ય. ગુરુ કુંભ રાશિમાં હોય ત્યારે હરિદ્વારમાં કુંભ મેળો યોજાય છે. સૂર્ય મેષ રાશિમાં ગોચર કરી રહ્યો હોય છે.

જણાવી દઈએ કે, મહાકુંભ 2025 પ્રયાગરાજમાં યોજાઈ રહ્યો છે અને 13 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી યોજાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X