For Quick Alerts
For Daily Alerts
તમારી કુંડળીમાં અખંડ સામ્રાજ્ય યોગ છે? તો તમે ભાગ્યશાળી છો!
અખંડ સામ્રાજ્ય યોગને જ્યોતિષ શાસ્ત્રમાં દુર્લભ યોગોની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે
વૈદિક જ્યોતિષમાં અનેક શુભ યોગો વિશેનું વર્ણન કરવામાં આવ્યુ છે, પણ એક યોગ એવો પણ છે જે અંગે કોઈને વધુ જાણકારી નથી. આ યોગ છે અખંડ સામ્રાજ્ય યોગ. જ્યોતિષ શાસ્ત્રમાં તેને દુર્લભ યોગોની શ્રેણીમાં રાખવામાં આવ્યો છો. જન્મકુંડળીમાં લગ્ન અને ગ્રહોની વિશેષ સ્થિતિને કારણે આ યોગનું નિર્માણ થાય છે.
જે કુંડળીમાં આ યોગ હોય છે તે અનંત સંપતિ અને ધનનો સ્વામી હોય છે. તેની સંપતિમાં દિવસેને દિવસે વૃધ્ધિ થતી જાય છે. એવું મનાય છે કે 75 વર્ષ સુધી આ યોગનો પ્રભાવ રહે છે. કુંડળીમાં અખંડ સામ્રાજ્ય યોગ રહેવાથી અન્ય ખરાબ ગ્રહોનો પ્રભાવ ખતમ થઈ જાય છે. આ યોગ નોકરી, વેપાર, શિક્ષણમાં ઉચ્ચ શ્રેણીની સફળતા અપાવે છે.
આ યોગ કેવી રીતે બને છે?
- વૈદિક જ્યોતિષમાં 12 રાશિઓ હોય છે જે ત્રણ સમૂહોમાં વિભાજીત હોય છે. દરેક સમૂહમાં ચાર-ચાર રાશિઓ આવે છે, જેને ચર, સ્થિર અને દ્વિસ્વભાવ રાશિઓ કહેવાય છે.
- અખંડ સામ્રાજ્ય માત્ર એ કુંડળીઓમાં બને છે જે સ્થિર લગ્ન વાળી હોય છે. સ્થિર લગ્ન વાળી રાશિઓ વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ છે. સાથે જ ગુરુ લગ્નથી પાંચમા અને અગિયારમાં ભાવમાં સ્થિર હોય.
- વૃષભ લગ્ન માટે બૃહસ્પતિ 11માં ભાવ, સિંહ લગ્ન માટે પંચમ સ્થાન, વૃશ્ચિક લગ્ન માટે દ્રિતિય અને પંચમ ભાવ તથા કુંભ લગ્ન માટે દ્રિતિય અને એકાદશ ભાવનો કારક મનાય છે.
- તેની સાથે જ ચંદ્રની સ્થિતિ પણ જોવામાં આવે છે. મજબૂત ગુરુ દ્રિતિય, પંચમ અને 11માં ભાવમાં હોય અને તેની સાથે ચંદ્ર હોય.
- દ્રિતિય, દશમ અને 11માં ભાવનો સ્વામી કેન્દ્રમાં હોય.
અખંડ સામ્રાજ્ય યોગના લાભ
- જે વ્યક્તિની કુંડળીમાં અખંડ સામ્રાજ્ય યોગ હોય છે તેને જીવનમાં ક્યારેય ધનની કમી આવતી નથી. તેને પૈતૃક સંપતિ પ્રાપ્ત થાય છે અને જો પૈતૃક સંપતિ પ્રાપ્ત ન થાય તો તે પોતાના દમે અખંડ સંપતિનો સ્વામી બને છે.
- નોકરી, વેપારમાં અડચણો હોવા છતાં તે ઉચ્ચ શિખરે પહોંચે છે.
- તમામ ભૌતિક સુખોનો સ્વામી બને છે. તેને અચાનક મોટો ધનલાભ થાય છે.
- જે કુંડળીમાં આ યોગ હોય છે તેના બીજા દોષો સમાપ્ત થઈ જાય છે.
Comments
English summary
Akhanda Samrajya yoga is a rare and highly fortunate yoga and a powerful Raja yoga that confers rulership. Here is Interesting Facts about in Gujarati.