દિવાલ પર લાગેલી તસવીર બદલી શકે છે તમારું નસીબ, જાણો કેમ?
સામાન્ય રીતે આપણે આપણા ઘરને સુંદર બનાવવા માટે ઘરની દિવાલો પર સુંદર ચિત્રો લગાવતાહોઇએ છીએ. પણ શું ખબર છે કે તમે તમારા ઘરમાં કેવા ચિત્રો લગાવો છો તેની પરથી તમારાઘરનું ભવિષ્ય નક્કી થાય છે. આ ચિત્રો અને તેમાં દોરાયેલી કૃતિઓ અને રંગો તમારું ભવિષ્ય બદલી શકે છે?
આજે અમે તમને આપશું કેટલીક વાસ્તુટીપ્સ જે તમને તમારા ઘરમાં કેવા ચિત્રો લગાવવા અને કેવા ના લગાવવા તે અંગે કેટલીક મહત્વપૂર્ણ અને રોચક જાણકારી આપશે. તમારા ઘરમાં કેવા ચિત્રો લગાવવા જોઇએ તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...
હસતા બાળકોની તસવીર
ઘરમાં હસતા બાળકોની તસવીર લગાવાથી સકારાત્કમ ઊર્જા ઘરમાં આવે છે. ઘરમાં કદી પણહિંસક પ્રાણીઓની તસવીર ના લગાવવી જોઇએ તેનાથી માણસની અંદર ગુસ્સો વધે છે. જો કે ઘરમાં કૂતરા અને ઘોડોની તસવીર લગાવાથી શક્તિ અને સમુદ્ધિ આવે છે.
ફૂલોની તસવીર
બેડરૂમમાં હંમેશા ફૂલોની તસવીર લગાવવી જોઇએ. તેનાથી તાજગી આવે છે અને સ્વાસ્થય પણ સારું રહે છે.
પાણી અને ઝરણાં
ઘરમાં કદી પણ પાણી કે પછી વહેતા ઝરણાંની તસવીર ના લગાવવી જોઇએ તેનાથી પૈસા પણ પાણીની જેમ વહી જાય છે તેવું મનાય છે.
મહાભારત
ઘરના કોઇ પણ રૂમમાં મહાભારત, યુદ્ધની તસવીર ના લગાવવી જોઇએ. વળી જાદુગરની તસવીર પણ ના લગાવવી જોઇએ તેનાથી ઘરમાં ઝગડા થાય છે.
કાળી તસવીરો
ઘરમાં કદી પણ કાળી કે ઘેરા રંગોની તસવીરો ના લગાવવી જોઇએ તેનાથી નેગેટિવ એનર્જી આવે છે.