For Daily Alerts
શું "H" અક્ષર વાળા હોય છે સ્વાર્થી અને ઉર્મિશીલ?
H અક્ષર વાળા લોકો સ્વભાવે સ્વાર્થી હોય છે, તેઓ ખૂબ કમાય છે પરંતુ ખર્ચ માત્ર પોતાના પર જ કરે છે.
આજે અમે તમને જણાવીશું કે, પુરુષ કે સ્ત્રીના જીવન પર અક્ષરો એટલે કે, આલ્ફાબેટની શું અસર પડે છે. મુંબઈના અંકશાસ્ત્રી જ્યોતિ શર્માએ આ મુદ્દે ગહન અધ્યયન કર્યુ છે. તેમની સાથેની વાતચીતને આધારે અમે તમને જણાવીશું કે, A થી Z સુધીના અક્ષરવાળા લોકોની પર્સનાલીટી કેવી હોય છે.
જાણો, H અક્ષરવાળા કેવા હોય છે?
- જે લોકોનુ નામ અંગ્રેજી અક્ષર H થી શરૂ થાય છે તે લોકો ઘણાં સંકુચિત મગજના અને સંવેદનશીલ સ્વભાવના હોય છે.
- તેઓ પોતાનુ દુઃખ કોઈને દેખાડતા નથી અને પોતાનુ સુખ પણ કોઈની સાથે શેયર કરતા નથી. તેમના આ સ્વભાવને લીધે તેઓ રહસ્યમયી વ્યકિત ગણાય છે.
- ચતુરાઈથી પોતાના કામ કઢાવી પોતાનો અંગત સ્વાર્થ પૂર્ણ કરે છે. આ ચતુરાઈથી જ તેઓ સફળતા પણ મેળવે છે.
- તેમને સમજવું ઘણું મુશ્કેલ છે પરંતુ તે દિલના સારા અને સાચા માણસ હોય છે.
- તેઓ પોતાના સન્માનને લઈ ઘણા ચિંતત હોય છે.
- તેઓ ખૂબ જ તેજ મગજના હોય છે, પરિણામે આવા લોકો મોટેભાગે રાજકારણ અને વહીવટના ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવે છે.
- તેઓ ક્યારેક કોઈની સાથે પોતાના પ્રેમનો એકરાર કરતા નથી પરંતુ તેઓ જેને ચાહે છે. તેને સાચા દિલથી પ્રેમ કરે છે. જીવનભર તેને અપનાવે છે.
- તેમનું લગ્નજીવન ઘણું સારુ હોય છે.
- કોઈની સાથે દોસ્તી કે કોઈની સાથે દુશ્મની કરવી તેમને ગમતી નથી. તેઓ માત્ર પોતાના કામથી મતલબ રાખે છે.
- તેઓ પૈસા તો ખૂબ કમાય છે, પરંતુ તે પૈસા માત્ર પોતાના પર ખર્ચે છે. બીજા માટે ખર્ચ કરવો તેમને પસંદ નથી.
- તેમના આ સંકુચિત સ્વભાવને કારણે તેમની ગણતરી ઘમંડી લોકોમાં થાય છે.
- તેમની પાસે જ્ઞાનનો અખૂટ ભંડાર હોવાથી તે સમાજમાં પોતાની અલગ શાખ ઉભી કરે છે.
- આ લોકો માત્ર પોતાની મરજીના માલિક હોય છે. તેઓ બીજાપર હુકમ ચલાવે છે, પરંતુ કોઈ તેમના પર હુકમ ચલાતે તે તેમને સહન થતુ નથી.
English summary
Your Name affects your personality : H Letter is a synonyms of Reservedness.
Story first published: Thursday, November 24, 2016, 14:36 [IST]