ઘરમા સુખ-શાંતિ માટે વાસ્તુ ટિપ્સ
નવુ વર્ષ હોય કે કોઇ તહેવાર, અધિકાંશ શુભેચ્છા સંદેશોમાં તમારું ભલુ ઇચ્છનારા તમારા જીવનમાં સુખ શાંતિ અને સમુદ્ધિની કામનાઓ મોકલતા હોય છે. સમૃદ્ધિ તો તમારી મહેનત પર નિર્ભર કરે છે, પંરતુ સુખ અને શાંતિ માટે તમે શું કરી શકો છો. સુખ અને શાંતિ માટે જેટલુ વધારે મહત્વ તમારો વ્યહવાર રાખે છે, તેના કરતા વધારે મહત્વ તમારા ઘરના વાસ્તુનું છે.
મકાનને ઘર બનાવવા માટે જરૂરી છે, પરિવારમાં સુખ શાંતિ બનાવી રાખવી અને તેવુ કરવાથી જ તમને સૂકૂન મળે છે. જો તમે ઘર બનાવવા જઇ રહ્યા છો, તો વાસ્તુના આધાર પર જ નક્શાની પસંદગી કરો. તમારા આર્કિટેક્ટને સ્પષ્ટપણે કહી દો કે, તમને વાસ્તુ પ્રમાણે જ મકાન બનાવવું જોઇએ. જો તમે તૈયાર મકાન કે ફ્લેટ ખરીદી રહ્યાં છો, તો વાસ્તુ સંબંધિત કેટલીક બાબતોનું ધ્યાન રાખીને તમે તમારા માટે સુંદર મકાન શોધી શકો છો.
ઘણી વાર એવું પણ થાય છે કે તમે તમામ પૂજા-પાઠ કરો છો, પરંતુ સારં ફળ મળતું નથી, તેવામાં તમારે તમારા ઘરના વાસ્તુશસ્ત્ર પર ધ્યાન આપવું જોઇએ. અમે તેને જણાવવા જઇ રહ્યાં છીએ, કેટલીક એવી ટિપ્સ, જે ઘણી જ સાધારણ છે અને તેનાથી તમે તમારા ઘરમાં સુખ શાંતિ સ્થાપવામાં સફળ રહી શકો છો.
ધ્યાનથી વાંચો તસવીરોની સામે રજૂ કરવામાં આવેલી ટિપ્સ
ઘરમા સુખ-શાંતિ માટે વાસ્તુ ટિપ્સ
મકાનનો મુખ્ય દ્વાર
મકાનનો મુખ્ય દ્વાર દક્ષિણ મુખી ના હોવો જોઇએ. તેના માટે તમે ચુંબકિય કંપાસ લઇને જાઓ. જો તમારી પાસે અન્ય વિકલ્પ નથી, તો દ્વારની સામે મોટો અરિસો લગાવો, જેથી નકારાત્મક ઉર્જા દ્વારેથી પરત ફરી જાય.
ઘરમા સુખ-શાંતિ માટે વાસ્તુ ટિપ્સ
ઓમની આકૃતિ
ઘરના પ્રવેશ દ્વાર પર સ્વસ્તિક અથવા તો ઓમની આકૃતિ લગાવો. તેનાથી પરિવારમાં સુખ શાંતિ બની રહેશે.
ઘરમા સુખ-શાંતિ માટે વાસ્તુ ટિપ્સ
કળશ રાખો
ઘરની પૂર્વોત્તર દિશામાં પાણીનું કળશ રાખો. તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
ઘરમા સુખ-શાંતિ માટે વાસ્તુ ટિપ્સ
બારી- દરવાજા
ઘરના બારી-દરવાજા એ પ્રકારના હોવા જોઇએ, કે સૂર્યનો પ્રકાશ સૌથી વધારે સમય ઘરની અંદર રહે, તેનાથી ઘરની બિમારીઓ દૂર ભાગી જાય છે.
ઘરમા સુખ-શાંતિ માટે વાસ્તુ ટિપ્સ
ડ્રોઇંગ રૂમ
પરિવારમાં લડાઇ-ઝઘડાથી બચવા માટે ડ્રોઇંગ રૂમ એટલે કે બેઠકમાં ફૂલોનો ગુલદસ્તો લગાવો.
ઘરમા સુખ-શાંતિ માટે વાસ્તુ ટિપ્સ
રસોડુ
રસોડામાં પૂજા કે કબાટ કે મંદિર ના રાખવું જોઇએ.
ઘરમા સુખ-શાંતિ માટે વાસ્તુ ટિપ્સ
બેડરૂમ
બેડરૂમમાં ભગવાનનું કેલેન્ડર કે તસવીરો અથવા તો ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી વસ્તુઓ ના હોવી જોઇએ. બેડરૂમની દિવાલો પર પોસ્ટર કે તસવીરો ના લગાવો તો સારું છે. હાં પરંતુ જો તમને ઘણી જ ઇચ્છા હોય તો, પ્રાકૃતિક સૌંદર્ય દર્શાવતી તસવીરો લગાવી શકો છો. તેનાથી મનને શાંતિ મળે છે, પતિ-પત્નીમાં ઝઘડા થતા નથી.
ઘરમા સુખ-શાંતિ માટે વાસ્તુ ટિપ્સ
દેવસ્થાન
ઘરમાં શૌચાલયની બાજુમાં દેવસ્થાન ના હોવું જોઇએ.
ઘરમા સુખ-શાંતિ માટે વાસ્તુ ટિપ્સ
માસ્ટર બેડરૂમ
ઘરના મોભીનો બેડરૂમ દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોય તો સારુ માનવામાં આવે છે.
ઘરમા સુખ-શાંતિ માટે વાસ્તુ ટિપ્સ
શૌચાલય
ઘરમાં ઘુસતા જ શૌચાલય ના હોવું જોઇએ.