આખરે શું છે નવરાત્રી અને રામનવમીનું કનેક્શન ?
બંને નવરાત્રીમાં ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીમાં રામનો જન્મદિવસ ઉજવાય છે, જ્યાં શારદીય નવરાત્રીમાં દશેરા રૂપે મનાવવામાં આવે છે.
5 એપ્રિલ 2017ના રોજ રામનવમી ઉજવવામાં આવશે. ચૈત્ર માસની નવમીને રામના જન્મદિવસના રૂપે ઉજવવામાં આવે છે. તમારા મનમાં હંમેશા પ્રશ્ન ઉભો થતો હશે કે આખરે નવરાત્રી માં શા માટે રામની પૂજા કરવામાં આવતી હશે.
બંનેએ અસુરોનો વિનાશ કર્યો હતો
વાસ્તવમાં હકીકત એવી છે કે માતા અંબાએ ચંડ, મુંડ, શુંભ, ચિક્ષુપર, મહિસાસુર જેવા દાનવોનો વિનાશ કર્યો હતો, ત્યાંજ ભગવાન રામે પણ રાવણનો વિનાશ કર્યો હતો.
ભગવાન રામે પણ માતા અંબાની ઉપાસના કરી હતી
ભગવાન રામ અને માતા દુર્ગા બંને એ અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. પુરાણો પ્રમાણે ભગવાન રામે માતા દુર્ગાની ઉપાસના કરી શક્તિઓ પ્રાપ્ત કરી હતી.
રામનો અર્થ
રામનો અર્થ થાય છે 'रमन्ते योगिनो यस्मिन् स राम:' એટલે કે યોગિગણ પોતાના ધ્યાનમાં જેને જોવે છે, તે છે રામ. રામનો અર્થ છે, કલ્યાણકારી અગ્નિ અને પ્રકાશ.
દુર્ગા પૂજાની સાથે રામકથા
માતા દુર્ગા શક્તિ અને શાંતિની માનક છે, પરિણામે નવરાત્રીમાં રામચરિત-માનસનું વિધાન છે અને જાતક દુર્ગા પૂજાની સાથે સાથે રામકથાનો પણ પાઠ કરે છે.
યોગ અને ભોગ બંને ફળો આપનારો ગ્રંથ
દુર્ગા -સપ્તશતી સંપૂર્ણ રીતે તંત્ર-ગ્રંથ છે. રામ કથા મોક્ષ કે યોગ ની તરફ લઈ જનારી વિદ્યા છે. રામ ઋષિ સંસ્કૃતિના પ્રતિક પુરૂષ છે. ભારતીય સંસ્કૃતિ ઋષિ અને કૃષિ સંસ્કૃતિનું સમ્મિલિત સ્વરૂપ છે.
રામ અને નવરાત્રી
બંને નવરાત્રી માં ભગવાન રામની પૂજા કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીમાં જ્યાં ભગવાન રામનો જન્મદિવસ ઉજવાય છે ત્યાં શારદીય નવરાત્રીમાં દશેરા મનાવવાનો રિવાજ છે. રાવણ પર વિજય મેળવવાને કારણે તેને વિજ્યાદશમી કહેવાય છે.