For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આપસી વિવાદમાં જેલ પહોંચી ગયા ભગવાન હનુમાન, જાણો શુ છે મામલો..

|
Google Oneindia Gujarati News

બિહારના નાનકડા જિલ્લા મધુબનીમાં ભગવાન હનુમાન જેલમાં કેદ થઇ ગયા છે. મધુબનીમાં નાવટોલી ગામમાં ભગવાન હનુમાનને પોલીસ પોતાની સાથે લઇ ગયી. આખો મામલો જમીન વિવાદનો હતો. પરંતુ સજા હનુમાન જીને મળી. તો જાણો શુ છે મામલો.

નાવટોલી ગામમાં એક સ્મશાનની જમીનને લઈને વિવાદ થયો. બે જાતિને લઈને જમીન કબ્જાનો વિવાદ થયો. એક જાતિના લોકોએ રાતોરાત ત્યાં એક ચબુતરાનું નિર્માણ કર્યું અને ત્યાં ભગવાન હનુમાનની મૂર્તિ પણ સ્થાપિત કરી દીધી.

hanuman

જયારે બીજી જાતિના લોકોએ સવારમાં ત્યાં હનુમાન જીની મૂર્તિ જોયી તો તેઓ નારાજ થઇ ગયા અને તેમને પોલીસમાં ફરિયાદ કરી દીધી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વિવાદ પૂરો કરવા માટે ભગવાન હનુમાનની મૂર્તિ પોતાની સાથે પોલીસ સ્ટેશને લઇ ગયી.

પોલીસે ભગવાનને પોલીસ સ્ટેશનમાં જ સ્થાપિત કરી દીધા. ત્યારથી અત્યાર સુધી તે મૂર્તિ મધુબની પોલીસ સ્ટેશનમાં જ છે. લોકોના આપસી વિવાદમાં જેલ પહોંચી ગયા ભગવાન હનુમાન અને તેમને જામીન પણ ના મળ્યા.

English summary
In a Weird incident of Land dispute in Madhubani, Bihar, Lord Hanuman send to jail. Here we tell you the reason.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X