સેવિંગ કે કરન્ટ એકાઉન્ટ વહેલું બંધ કરો તો ફી ચૂકવવી પડે?
જો આપે તાજેતરમાં એકાઉન્ટ ખોલાવ્યું હોય અને આપ તેને બંધ કરાવવાનું ઇચ્છતા હોવ તો આપે બે વાર વિચારવું જોઇએ, કારણ કે ખાતુ વહેલું બંધ કરાવવામાં આવે તો બેંકો ચાર્જ વસૂલ કરતા હોય છે.
હા, ખાતુ વહેલુ બંધ કરવામાં આવે તો બેંકો અર્લી ક્લોઝિંગ ચાર્જ વસૂલ કરે છે. કારણ કે કોઇ પણ ખાતુ ખોલતા સમયે ચેક બુક અને અન્ય સામગ્રી આપે છે તેનો ખર્ચો થાય છે. જેના કારણે ખાતુ વહેલું બંધ કરવામાં આવે તો બેંક ચાર્જ વસૂલે છે.
ખાસ નોંધવા જેવી બાબત એ છે કે જો આપ એક વર્ષની અંદર જ ખાતુ બંધ કરો છો તો આપની ખાતુ ખોલાવવાનો ખર્ચો બેંકથી વસૂલ કરી શકાતો નથી. સામાન્ય રીતે બેંકો એકાઉન્ટ ક્લોઝર ચાર્જીસ 14 દિવસથી 6 મહિના કે એક વર્ષમાં ખાતુ બંધ કરાવો તો તેના પર લાગુ કરે છે. મોટા ભાગની બેંકો જણાવે છે કે એક વર્ષ બાદ બેંકો અર્લી ક્લોઝિંગ ચાર્જ વસૂલ કરતી નથી.
બેંક અને એકાઉન્ટના પ્રકાર પ્રમાણે ક્લોઝિંગ ચાર્જીસ બદલાય છે. ક્લોઝિંગ ચાર્જીસ રૂપિયા 100 જેટલો ઓછો હોય છે, પરંતુ ખાનગી ક્ષેત્રની બેંકમાં તે રૂપિયા 250થી રૂપિયા 1000ની વચ્ચે હોય છે. જો કે આ અંગે તેની કોઇ ચોક્કસ ગાઇડલાઇન નથી.