લઘુત્તમ બેલેન્સ ઘટે તો ગ્રાહકને જાણ કરો : RBI
નવી દિલ્હી, 21 નવેમ્બર : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગુરૂવારે બેંકોને જણાવ્યું છે કે જો ગ્રાહકના બેંક ખાતામાં મિનિમમ બેલેન્સ ઓછું હોય તો ગ્રાહકોને જાણ કરવી જોઇએ. આ ઉપરાંત એમ પણ જણાવ્યું છે કે મિનિમમ બેલેન્સ લાંબા સમય સુધી ના જળવાય તો જ ચાર્જીસ વસૂલ કરવા જોઇએ.
મિનિમમ બેલેન્સ ના જળવાય તો તેના પર પેનલ ચાર્જીસ 1 એપ્રિલ, 2015થી અમલમાં આવશે. સેવિંગ બેંગ એકાઉન્ટ પર પેનલ ચાર્જીસ લગાવવા માટેની પણ અલગ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.
આરબીઆઇએ બેંકોને એમ પણ જણાવ્યું છે કે મિનિમમ બેલેન્સ ના જળવાય તો તેના માટે ફિક્સ ચાર્જ વસૂલ કરવાને બદલે એક માળખું તૈયાર કરવામાં આવશે. તેના આધારે ચાર્જ વસૂલવામાં આવશે.
આ ઉપરાંત બેંકોએ તેમના ગ્રાહકોને આ અંગેની જાણ એસએમએસ, ઇમેઇલ, પત્ર પાઠવીને કરવાની રહેશે. ગ્રાહકોને પેનલ ચાર્જીસથી બચવા મીનિમમ બેલેન્સ કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવવો જોઇએ.