સર્વિસ ટેક્સ નહીં ચૂકવનારાઓને એકવાર ટેક્સ માફી મળશે
યોજના અંતર્ગત સર્વિસ ટેક્સ ચૂકવવામાં વિલંબ કરનારાઓને 1 ઓક્ટોબર, 2007થી 31 ડિસેમ્બર 2012 દરમિયાન પોતાના બાકી ટેક્સની (ઉપકર સહિત) બાકી રકમની ઘોષણા કરી શકશે.ત્યાર બાદ તે સાચી માહિતી આપીને જમા કરી શકશે. તેમને દંડ પણ ચૂકવવો નહીં પડે અને તેમની સામે કોઇ પ્રકારની કાર્યવાહી પણ કરવામા નહીં આવે.
નાણા પ્રધાન પી ચિદમ્બરમે આ અંતર્ગત પહેલી યોજનાની જાહેરાત વર્ષ 2013-14નું બજેટ રજૂ કરતા સમયે કરી હતી. તેમણે માહિતી આપી હતી કે સર્વિસ ટેક્સ અંતર્ગત 17 લાખ લોકો નોંધાયેલા છે. તેમાંથી માત્ર 7 લાખ લોકો જ રિટર્ન જમા કરાવી રહ્યા છે.
સર્વિસ ટેક્સ બાબતે કોઇ વ્યક્તિ આ બાબતમાં ઘોષણા 31 ડિસેમ્બર, 2013 સુધી તે તો પહેલા જાહેરાત કરી શકે છે. ઘોષણા કરનારી વ્યક્તિને બાકી ટેક્સના 50 ટકા ચૂકવણી 31 ડિસેમ્બર સુધી જમા કરાવવાનું હશે. જ્યારે બાકીની રકમ તેઓ 30 જૂન, 2014 સુધી જમા કરાવી શકે છે.