નિયમોના સગવડીયા અર્થઘટન કરી ગ્રાહકોને લૂંટતી ખાનગી બેંકો
એચડીએફસીની બોડકદેવ શાખાએ દીપકને વર્ષ 2005માં ક્રેડિટ કાર્ડ આપ્યું કર્યું હતું. તે પછી તેમણે ડિસેમ્બર, 2005માં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને રૂ. 3786ની ખરીદી કરી હતી. ક્રેડીટ કાર્ડની રકમના બિલની ચૂકવણી 27 જાન્યુઆરી, 2006 સુધીમાં કરવાની થતી હતી અને તેમણે યુકો બેંક અમદાવાદ શાખાનો ચેક 24 જાન્યુઆરી, 2006ના રોજ જમા કરાવ્યો હતો. આ ચેકની રકમ 31 જાન્યુઆરી 2006ના રોજ ચેક પાકતાં રકમ ચૂકવાઈ હતી. જે બાબતે એચડીએફસી બેંકે રૂ. 275ની લેટ ફી વસૂલ કરી હતી.
આ ફી પાછળથી રીફંડ કરવામાં આવી હતી. આમ છતાં બેંકે આઉટ સ્ટેશન કલેકશન ફી તરીકે રૂા. 110 અને ફાયન્ન્સ ચાર્જ તરીકે રૂા. 89 ચાર્જ કર્યા હતા, જે બેંકને વારંવાર વિનંતિ કર્યા છતાં પરત કરવામાં આવ્યા ન હતા. બેંકે કાર્ડ હોલ્ડરના સેવીંગ બેંક એકાઉન્ટમાંથી તેની રૂા. 119 બાકી રકમ સામે રૂા. 8043 વસૂલ કર્યા હતા. ગેરકાયદે વસૂલ કરેલી રકમ અંગે શેઠે વારંવાર વિનંતિ કરવા છતાં વસૂલ કરાયેલી આ રકમ પરત કરવામાં આવી ન હતી.
દીપકે એચડીએફસી બેંકની ગેરકાયદે રીતરસમ અંગે સીઈઆરએસનો સંપર્ક સાધ્યો અને વ્યાજસહિત રકમ પરત અપાવવા અંગે ગ્રાહક ફોરમમાં અરજ કરવામાં આવી. ફોરમે ખાનગી ક્ષેત્રની બેંકને રૂા. 8050 અને જે દિવસથી રકમ વસૂલ કરાઈ હતી તે દિવસથી 9 ટકા દરે વ્યાજ સાથે એટલેકે 3 જૂન 2008થી રકમ પરત કરવા હુકમ કર્યો છે. આ ઉપરાંત ફરીયાદીનેતેણે વેઠેલી માનસિક વ્યથા પેટે રૂા. 1500નું વળતર તથા કાનૂની ખર્ચ પેટે રૂા. 1500 આપવા હુકમ કર્યો છે.