SBI કાર્ડથી પેટ્રોલ ખરીદવું થશે સસ્તુ, જાણો કેટલું?
ભારતીય સ્ટેટ બેંક કાર્ડને દેશભરમાં તેના 40 લાખથી વધુ ગ્રાહકોને ફ્યૂઅલ સરચાર્જમાં આ ફાયદો કરીને આપ્યો છે વિગતવાર જાણો.
ભારતીય સ્ટેટ બેંકના કાર્ડ ગ્રાહકો માટે ખુશખબરી છે. બુધવારથી એસબીઆઇએ તેના ગ્રાહકોને એક ભેટ આપી છે. જેના લીધે ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહકો હવે ડિઝલ અને પેટ્રોલ સસ્તા ભાવે ખરીદી શકશે. ભારતીય સ્ટેટ બેંકે તેના કાર્ડ ગ્રાહકોને ફ્યૂઅલ સરચાર્જના કપાત દર આપ્યો છે. હાલ જે ફ્યૂઅલ સરચાર્જ 2.5 ટકા હતો તે ઘટાડીને હવે એસબીઆઇએ 1 ટકા કરી દીધો છે. એસબીઆઇએ આ પગલું તેલ કંપનીઓ દ્વારા કરવામાં આવેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને કર્યું છે જેથી કરીને ડિઝિટલ ટ્રાંજેક્શનમાં પણ વધારો થાય.
Read also:કેમ 29.54 રૂપિયામાં મળતું પેટ્રોલ તમને 77.50 રૂપિયા મળે છે? જાણો
જો કે આનાથી ગ્રાહકોને કોઇ ખાસ ફાયદો નહીં થાય કારણ કે પહેલા પણ 2.5 ટકા સરચાર્જ પાછું આવતું હતું અને હવે 1 ટકા સરચાર્જ પાછું આવશે. પણ તેમ છતાં હાલ તો એસબીઆઇ તરફથી તમામ ગ્રાહકને તેવા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. અને જણાવવામાં આવ્યું છે કે 26 એપ્રિલથી આ નવા દર લાગુ પડશે. આમ જોવા જઇએ તો એક રીતે આ ઘટાડા કરીને એસબીઆઇ તેના ગ્રાહકોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો છે.