Iphone કરતા એંડ્રોઇડ ફોન ખરીદનાર કેમ છે બુદ્ધિશાળી, જાણો 7 કારણ
હાલમાં સ્માર્ટફોનનો જમાનો છે. રોજ અવનવા ફીચર્સ સાથે ફોન બજારમાં ઉતરી રહ્યા છે. એંડ્રોઇડ સ્માર્ટફોન અને આઇફોનની તુલના કેટલી યોગ્ય રહેશે તે અંગે ઘણી ચર્ચાઓ થઇ ચૂકી છે. ખાસ કરીને આઇફોન ઉપભોક્તાઓ પાસે જો આપ એંડ્રોઇડને લઇને કોઇ પણ ચર્ચા કરશો તો તેનું પરિણામ શૂન્ય જ આવશે. જોકે ટેકનિકલ દ્રષ્ટિકોણથી જોઇએ તો એંડ્રોઇડ સ્માર્ટફોનમાં આપને એવા ઘણા ફીચર્સ મળી જશે, જે આઇફોનમાં નહીં મળે સાથે જ એંડ્રોઇડનું ઇંટરનફેઝ આઇફોનના મુકાબલે વધારે સરળ છે.
આ ઉપરાંત એંડ્રોઇડના ઘણા અન્ય ફીચર્સ પણ હોય છે. જે આપને આઇફોનમાં નહીં મળે, આવો વાત કરીએ કેટલાંક એવા જ ફીચર્સ અંગે...
પ્રથમ ફીચર
એંડ્રોઇડ ફોનમાં ઓટોમેટિક ગૂગલની ઘણી સર્વિસ સિંક થઇ જાય છે જેમકે ગૂગલ મેપ, ગૂગલ કેલેંડર, જીમેઇલ, જ્યારે આઇફોનમાં અલગ સર્વિસ આપે યૂઝ કરવી પડે છે.
બીજું ફીચર
ઘણા એંડ્રોઇડ ફોનમાં આપ બેટરી બદલી શકો છો જ્યારે કોઇ પણ આઇફોનમાં આપને એવી સુવિધા નહીં મળે.
ત્રીજું ફીચર
મોટાભાગના એંડ્રોઇડ ફોનમાં એસડી કાર્ડ બદલવાનું ફીચર્સ આપને મળશે, આઇફોનમાં આ સપોર્ટ નથી મળતું.
ચોથું ફીચર
એંડ્રોઇડ ફોનમાં લોંચરને ઇંસ્ટોલ કરીને આપ પોતાની હોમ સ્ક્રીન કસ્ટમાઇઝ કરી શકો છો. જ્યારે આઇફોનમાં વોલપેપર બદલવા ઉપરાંત સ્ક્રીનને કસ્ટમાઇઝ કરી શકાતું નથી.
પાંચમું ફીચર
એંડ્રોઇડને આપ કોઇપણ યૂએસબી કેબલ દ્વારા ચાર્જ કરી શકો છો જ્યારે એપલનો આપ માત્ર એપલના જ ચાર્જરથી ચાર્જ કરી શકો છો.
છઠ્ઠુ ફીચર
એંડ્રોઇડમાં આપને અઢળક હાર્ડવેર ઓપ્શન મળી રહેશે.
સાતમું ફીચર
આઇફોનની અડધી કિંમતમાં આપને હાઈઇંડ એંડ્રોઇડ ફોન મળી જશે. જે આપને રૂપિયા બચાવવામાં પણ મદદરૂપ બનશે.