મહાત્મા ગાંધીના જીવન સાથે જોડાયેલી 16 અજાણી વાતો
આજે મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસે અમે તમને કેટલીક એવી વાતો જણાવવા જઇ રહ્યાં છીએ, જે તમને કદાચ જ ખબર હોય.
આજે ગાંધી જયંતિ નિમિત્તે અમે તમને ગાંધીજી વિશે કેટલીક એવી વાતો જણાવવા જઇ રહ્યાં છીએ, જે તમને કદાચ જ ખબર હોય. પોતાના આદર્શો અને અહિંસાના સિદ્ધાંતને કારણે મહાત્મા ગાંધી આજે પણ એક મહાન ક્રાંતિકારી તરીકે પ્રચલિત છે.
માત્ર ભારત જ નહીં, પરંતુ દુનિયાભરમાં ગાંધીજીને વિશેષ ખ્યાતિ પ્રાપ્ત છે. મહાન વૈજ્ઞાનિક શુમાર આઇંસ્ટીને કહ્યું હતું કે, થોડા વર્ષો બાદ લોકો કદાચ એ વાત પર વિશ્વાસ નહીં કરે કે મહાત્મા ગાંધી જેવી વ્યક્તિ ક્યારેય આ ધરતી પર હયાત હતી. ભારત દેશની આઝાદી માટે મહાત્મા ગાંધીએ પોતાનું સંપૂર્ણ જીવન ન્યોછાવર કરી દીધું હતું.
પાંચ વાર નોબેલ પિસ પ્રાઇઝ
મહાત્મા ગાંધીને પાંચ વાર નોબેલ પિસ પ્રાઇઝ માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.
કોંગ્રેસ પાર્ટીનો વિનાશ
પોતાના મૃત્યુના એક દિવસ પહેલાં મહાત્મા ગાંધીએ કોંગ્રેસ પાર્ટી ભંગ કરવાનો વિચાર કર્યો હતો.
અંતિમ યાત્રા
મહાત્મા ગાંધીની અંતિમ યાત્રા 8 કિલોમીટર ચાલી હતી.
ગોળ ચશ્મા
મહાત્મા ગાંધીને સન્માન આપવા માટે એપલના સંસ્થાપક સ્ટીવ જોબ્સ પણ ગોળ ચશ્મા પહેરતા.
18 કિલોમીટર પગપાળા ચાલતા
મહાત્મા ગાંધી રોજ 18 કિલોમીટર પગપાળા ચાલતા. આ હિસાબે મહાત્મા ગાંધી આખી દુનિયાની પગપાળા યાત્રા કરી શક્યા હોત.
નકલી દાંત
ગાંધીજી નકલી દાંત પહેરતા, જેને તેઓ પોતાના કપડા સાથે રાખતા.
ગાંધીજીના નામથી 53 મુખ્ય માર્ગો
ભારતમાં ગાંધીજીના નામના 53 મુખ્ય માર્ગો છે, જ્યારે વિદેશમાં કુલ 48 રસ્તાઓના નામ મહાત્મા ગાંધીના નામ પરથી રાખવામાં આવ્યા છે.
સ્વતંત્રતા દિવસની રાત્રે ગેરહાજર
સ્વતંત્રતા દિવસની રાતે ગાંધીજી નેહરુનું ભાષણ સાંભળવા માટે ઉપસ્થિત નહોતા રહી શક્યા, એ સમયે ગાંધીજી ઉપવાસ પર હતા.
ગાંધીજીની વસ્તુઓ સુરક્ષિત રખાઇ
આજે પણ ગાંધીજીના કપડાં સહિત ઘણી વસ્તુઓ મદુરઇના મ્યૂઝમમાં સુરક્ષિત રાખવામાં આવી છે.
કોઇ રાજનૈતિક પદ નહીં
પોતાના પૂર્ણ જીવનકાળ દરમિયાન ગાંધીજીએ ક્યારેય કોઇ રાજકારણીય પદ સ્વીકાર્યું નહોતું કે ન તો એવી કોઇ ઇચ્છા જાહેર કરી હતી.
સિવિલ રાઇટ મૂવમેન્ટ
મહાત્મા ગાંધીને કારણે અને તેમનાથી પ્રેરણા લઇને ચાર કોન્ટિનેન્ટ અને 12 દેશોમાં સિવિલ રાઇટ મૂવમેન્ટ શરૂ થઇ હતી.
ગાંધીજીના સન્માનમાં સ્ટેમ્પ
જે અંગ્રેજી સરકાર વિરુદ્ધ ગાંધીજીએ આંદોલન કર્યું હતું, એ જ અંગ્રેજી સરકારે મહાત્મા ગાંધીના મૃત્યુના 21 વર્ષો બાદ તેમના સન્માનમાં સ્ટેમ્પ બહાર પાડ્યાં હતા.
યુદ્ધમાં સૈનિક તરીકે કામગીરી
અહિંસાના હિમાયતી એવા ગાંધીજીએ બોએર યુદ્ધમાં સૈનિક તરીકે કામગીરી બજાવી હતી.
પ્રખ્યાત હસ્તીઓ સાથે મુલાકાત
મહાત્મા ગાંધીએ આઇંસ્ટીન, હિટલર, ટૉલ્સટૉય સહિત ઘણી પ્રખ્યાત હસ્તીઓ સાથે મુલાકાત કરી હતી.
ફુટબોલ ક્લબ
ગાંધીજીએ ડરબન, પ્રીટોરા અને જ્હોનિસબર્ગમાં ફુટબોલ ક્લબની સ્થાપના કરવામાં મદદ કરી હતી, જેનું નામ પેસિવ રેસિસ્ટર્સ સૉકર ક્લબ છે.
દક્ષિણ આફ્રિકામાં 15 હજાર ડૉલર મળતા
દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે મહાત્મા ગાંધીની કમાણી 15 હજાર ડૉલર હતી, જે આજના લગભગ 10 લાખ રૂપિયા બરાબર છે.
અહીં વાંચો
ગાંધીજી પર જ્યારે બોમ્બ ફેંકાયો ત્યારે બાપુએ કહ્યું: તેની પર દયા રાખજો!