રામનવમી પર કરો રાશિ અનુસાર ભગવાન શ્રીરામની પૂજા
ગોસ્વામી તુલસીદાસના રામચરિતમાનસ અનુસાર ચૈત્ર શુક્લની નવમી તિથિ તથા પુનર્વસુ નક્ષત્રના ચતુર્થ ચરણ અને કર્ક લગ્નમાં ભગવાન શ્રીરામનો જન્મ થયો. એવી માન્યતા છે કે ભગવાન રામનું નામ લેવા માત્રથી જ તમામ સમસ્યાઓનું નિદાન સંભવ છે. જો નિત્ય રામ સ્ત્રોત્રનો પાઠ કરવામાં આવે તો એવી કોઇ મનોકામના નથી જેને ભગવાન રામ પૂરી ના કરે. રામ સ્ત્રોત ભગવાન રામની ઉપાસના કરવા ખૂબ જ સરળ અને સહજ માધ્યમ છે, ચેત્ર માસની શુક્લ પક્ષની નવમીના રોજ પ્રભુ શ્રીરામનો જન્મ થયો હતો.
આ દિવસે જે વ્યક્તિ સાચા મનથી ભગવાન શ્રીરામનું સ્મરણ અને પૂજા-પાઠ કરે છે તેની તમામ મનોકામના પૂર્ણ થઇ જાય છે. આ દિવસે જો ભગવાન શ્રીરામને રાશિ અનુસાર ભોગ લગાવવામાં આવે તો તેઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોના તમામ કષ્ટોનું નિવારણ કરી દે છે.
આવો, જાણીએ કે કઇ રાશિના જાતકોએ શ્રીરામને શું ભોગ લગાવવો જોઇએ...
મેષ
મેષ રાશિના લોકો લાડવા અને દાડમનો ભોગ ચડાવે તો સારુ રહેશે.
વૃષભ
આ રાશિના જાતકો શ્રીરામને રસગુલ્લાનો ભોગ ચડાવો તો તમારી તમામ મનોકામના પૂર્ણ થશે.
મિથન
કાજૂની મિઠાઇ ભગવાન શ્રીરામને અર્પિત કરો.
કર્ક
આ રાશિના લોકો માવાની બર્ફી અને નારિયલનો ભોગ લગાવો
સિંહ
સિંહ રાશિના લોકો ગોળ અને બેલના ફળનો શ્રીરામને ભોગ ચઢાવે.
કન્યા
પ્રભુ શ્રીરામને તુલસીના પત્તા અને નાશપાતિ અથવા કોઇ પણ લીલા ફળનો ભોગ લગાવે.
તુલા
આ રાશિના લોકો કલાકંદ અને સફળજનનો ભોગ ચડાવે.
વૃશ્ચિક
વૃશ્ચિક રાશિવાળા ગોળની રેવડીનો ભોગ લગાવે.
ધનુ
ધનુ રાશિના લોકો શ્રીરામને ચણાના લોટની મીઠાઇ ચડાવે
મકર
મકર રાશિના લોકો ગુલાબ જામુન અને કાળી દ્રાક્ષનો ભોગ ચડાવે
કુંભ
આ રાશિના લોકો ચોકલેટી રંગની બર્ફી અને ચીકૂનો ચડાવો ચડાવે.
મીન
ભગવાન શ્રીરામને જલેબી અને કેળાનો ભોગ ચડાવે