..તો થશે વિરાટ-અનુષ્કાની લવ સ્ટોરીનો અંત
અનુષ્કા શર્મા અને વિરાહ કોહલીની લવસ્ટોરીનો આવી શકે છે ધ એન્ડ. જો આવું જ રહ્યું તો વિરાટ અને અનુષ્કા એકબીજા કહી દેશે ટાટા બાય બાય. ના ના આની પાછળ ટીમ ઇન્ડિયાની હારનું કારણ અનુષ્કાને માનવામાં આવી તે વાત નથી. આની પાછળ કારણ છે બન્નેને મિડિયા તરફથી મળતું વધુ પડતું અટેન્સન.
જો કે તે વાત પણ સાચી છે કે બિચારી અનુષ્કાને વિરાટ અને ટીમ ઇન્ડિયાની હારનું કારણ માનવામાં આવી તેનાથી અનુષ્કાને ખોટું તો લાગ્યું જ છે. એટલું કે અનુષ્કાના એક નજીકના ફેન્ડે મિડિયામાં કહી દીધું કે આ રીતે અનુષ્કાનું નામ ઉછાળવું બિલકુલ યોગ્ય નથી.
વધુમાં આ મિત્રએ ધટસ્ફોટ કર્યો છે કે અનુષ્કા તો સિડની જવા જ નહતી માંગતી. કારણ કે અનુષ્કાને નથી ગમતું ચાર લોકો તેમની પર્સનલ લાઇફનો ઢંઢેરો આખા ગામમાં વગાડે.
વધુમાં આ મિત્રનું માનીયે તો તેનું કહેવું છે કે જો આમ જ મિડિયા અને લોકો તેમના સંબંધોની વાતો ઉછાળતા રહ્યા તો પ્રેમની નાજુક દોર તૂટી પણ શકે છે. કારણ કે અનુષ્કા પોતાનો સેલ્ફ રિસ્પેક્ટ છે સૌથી પ્રિય. અને આ વખતે તેની લાગી છે મોટી ઠોકર.