સોનુ નિગમની અઝાન મામલે કંગના કંઇક અલગ જ કહ્યું
સોનુ નિગમની અઝાન ટ્વિટ પર વિવાદ શાંત થવાનું નામ નથી લેતું. તેવામાં હવે જાણીતી અભિનેત્રી કંગના પણ કરી ટિપ્પણી...
રોકવાની વાતો ના કરવી જોઇએ. રોકવું જ હોય તો ભષ્ટ્રાચાર રોકોસોનુ નિગમનું કહેવું છે કે લાઉડસ્પીકર પર અઝાન બોલવાના કારણે તેમની ઊંઘ બગડે છે. આ વાત પર હજી જ્યાં વિવાદ શાંત નથી થયો ત્યાં વિવાદો ઊભા કરવામાં એક્સપર્ટ મનાતી કંગના રણાવત કંઇક અલગ જ ટિપ્પણી કરી છે. કંગનાને જ્યારે આ અંગે પુછવામાં આવ્યું ત્યારે તેણે ખુબ જ નિખાલસ રીતે જવાબ આપ્યો કે મને તો અઝાન સાંભળી ગમે છે. જો કે તેણે સાથે એ પણ સ્પષ્ટતા આપી કે હું સોનુ નિગમ ની વાતનો પણ વિરોધ નથી કરતી. દરેકના પોતાના વિચાર હોય છે અને દરેકને અલગ અલગ લોકોના વિચારોનું સન્માન કરતા શીખવું જોઇએ. તેણે કહ્યું કે હું કોઇ બીજાની વાત અંગે ના બોલી શકુ પણ મારી વાત જણાવું તો મને અઝાન પસંદ છે.
Read also : Video: અઝાન અંગે મોદી અને સલમાનનું શું છે રિએક્શન?
વળી તેણે પોતાના તનુ વેડ્સ મનુના દિવસો યાદ કરતા કહ્યું કે તેને કોઇ પણ ધાર્મિક સ્થળે જવું ગમે છે તે પછી મંદિર હોય મસ્જિદ હોય કે ચર્ચ. લખનઉમાં તેની ફિલ્મ તનુ વેડ્સ મનુના શિટૂંગમાં તેને અનેક વાર અઝાન સાંભળવા મળતી હતી તેવું પણ કંગનાએ જણાવ્યું. જો કે સોનુ નિગમની ટ્વિટને લઇને બોલીવૂડમાં પણ ભાગલા પડ્યા છે. જ્યાં સોનુએ માથે ટકલુ કરાવ્યું તે બાબતે અનુપમ ખેરે તેને વખાણ કરતા કહ્યું કે બંદે મેં દમ હૈ ત્યાં જ બીજા જાણીતા ગાયક મીકા સિંહે સોનુની આ વાતનો વિરોધ કર્યો હતો. અને કહ્યું હતું કે કેટલીક વસ્તુઓ ચાલી રહી છે તેને.