For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેશાવર હુમલો : સલમાનના સુફિયાણા Tweet પર ભડક્યા લોકો!

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 20 ડિસેમ્બર : હિન્દીમાં એક કહેવત છે કે હોમ કરને ચલે ઔર હાથ જલા બૈઠે... કંઇક આવો જ હાલ થયો છે સલમાન ખાનનો કે જેમણે તાજેતરમાં જ ટ્વિટર પર પેશાવર ખાતે માસૂમ બાળકો પર થયેલ આતંકવાદી હુમલા અંગે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે, પણ એક બાજુ બાકીના સ્ટાર્સ દ્વારા આ હુમલા અંગે કરાયેલ ટ્વીટ્સના લોકોએ વખાણ કર્યા, તો બીજી બાજુ સલમાનના આ ટ્વીટથી લોકોને ગુસ્સો આવી ગયો. તેમનો ઇશારો હતો સલમાન ખાન દ્વારા કચડી મારવામાં આવેલા ફુટપાથના લોકો તથા તે કાળિયાર હરણો તરફ હતો કે જેનો આરોપ સલમાન સામે છે.

alman
સલમાન ખાને ટ્વીટ કર્યું, ‘એક માસૂમની જિંદગી બચાવવાનો મતલબ આખી ઇંસાનિયત બચાવવી, અને એક માસૂમને મારવાનો મતલબ આખી ઇંસાનિયતને ખતમ કરવી.'

સલમાને આ પછી આગળ લખ્યું, ‘એક માસૂમનો જાન લેવા કરતા મોટો ગુનો બીજો કોઈ નથી.'

દેવ પુરબિયાએ પોતાના ફેસબુક પર સલમાનના આ ટ્વીટને શૅર કર્યું અને લખ્યું, ‘આ પોસ્ટે તો મારો દિવસ સુધારી દીધો.'

આ જ પોસ્ટ પર લોકોએ સલમાનને મન મૂકીને ભાંડ્યા પણ. લોકોનું કહેવુ હતું કે જે લોકોને સલમાને કચડ્યા, તેઓ પણ માસૂમ હતાં. આવો જાણીએ લોકોના પ્રત્યાઘાતો :

અમિત દુબેએ લખ્યું, ‘માસૂમ તો પેલા કાળિયાર હરણો પણ હતાં અને પેલા લોકો પણ કે જેઓ રોડની બાજુમાં ફુટપાથ ઉપર સૂતા હતાં.'

સુશાંત શેટ્ટીએ લખ્યું, ‘આવુ જ થાય છે કે જ્યારે કોઈ બીજો આપનું સોશિયલ ઍકાઉંટ મૅનેજ કરતો હોય છે. આવા પ્રકારના જ અપડેટ હોય છે.'

તનુએ લખ્યું, ‘વાહ! જેણે પોતે માસૂમો અંગે વિચાર્યુ નહીં, તે આજે બીજાઓને સલાહ આપી રહ્યો છે. જો આ ગુનો છે, તો તે પોતે જેલની બહાર કેમ છે?'

English summary
Salman Khan tweeted about Peshawar Attack and said killing one innocent is the greatest crime. People replied to his post and said even those people who were sleeping on street were also innocent.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X