Exclusive : ધડ-માથા વગરની છે વૉર છોડ ના યાર
મુંબઈ, 12 ઑક્ટોબર : ગઈકાલે રૂપેરી પડદે આવેલી ફિલ્મ વૉર છોડ ના યારને ખૂબ જ ઠંડું પ્રતિસાદ મળ્યું છે. જોકે કેટલાંક સમીક્ષાકોની નજરે આ ફિલ્મમાં થોડીક નવીનતા જરૂર છે, પણ છતાંય ફિલ્મમાં ઘણા નબળા પાસા છે કે જેથી વૉર છોડ ના યાર ફિલ્મ દર્શકોને આકર્ષવામાં હાલ તો નિષ્ફળ રહી છે.
વૉર છોડ ના યાર ફિલ્મ જોઈ થિયેટર્સમાંથી નિકળતા દર્શકોના પ્રત્યાઘાત સારા નથી. એક દર્શકે જણાવ્યું - ફિલ્મમાં ઘણુ બધુ એવું છે કે જેન સમજી શકવું મુશ્કેલ છે. ભારત-પાકિસ્તાન યુદ્ધ પર બનેલી આ કૉમિક ફિલ્મ જોઈ હસવુય ન આવ્યું કે રડવુય ન આવ્યું. સોહા અલી ખાન આટલા સમય બાદ પણ અભિનય કરતાં નથી શીખ્યાં, તો શરમન જોશી અને જાવેદ જાફરી ઠીકઠાક રહ્યાં છે.
ફિલ્મ સરેરાશ કમાણી પણ કરી લે તો ઘણુ રહેશે. ખેર ફિલ્મ કેવુક પ્રદર્શન કરશે, તે તો સોમવારે બૉક્સ ઑફિસની રિપોર્ટ્સ આવ્યા બાદ જ ખબર પડશે. ફિલ્મમાં લીડ રોલ શરમન જોશી તથા સોહા અલી ખાન તેમજ જાવેદ જાફરીએ કર્યો છે. દિગ્દર્શક ફરાજ હૈદર છે. ફિલ્મનું ગીત તેરી આંખે કહ ગઈ... હાલ લોકોને ગમી રહી છે.