Confirm: નવજોતસિંહ સિદ્ધુ છોડશે કપિલ શર્માનો કોમેડી શૉ
આખરે એ જ થયું જે ઘણા દિવસથી ચર્ચામાં હતું. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર નવજોતસિંહ સિદ્ધુ હવે કપિલ શર્માનો કોમેડી શો છોડવા જઈ રહ્યા છે. આ શોમાં તેઓ સ્પેશિયલ જજની ભૂમિકામાં હતા. સિદ્ધુની પત્ની નવજોતકૌરના મુજબ, હવે તેમના પતિ પંજાબના રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આમ જોવા જઈએ તો નવજોતસિંહ સિદ્ધુ ના કપિલ શર્માનો કોમેડી શૉ છોડી દેવાની ખબર પહેલા પણ આવી હતી. પરંતુ ત્યારપછી નવજોતસિંહ સિદ્ધુએ જાતે જ તે બધી જ ખબરોને નકારી નાખી હતી.
હાલમાં જ નવજોતસિંહ સિદ્ધુએ ભૂતપૂર્વ હોકી કપ્તાન પરગટ સિંહ સાથે મળીને આવાઝ એ પંજાબ ફોરમ પણ બનાવ્યું છે. આ ફોરમ ઇલેકશનમાં ઉતરશે. નવજોતસિંહ સિદ્ધુની પત્ની નવજોતકૌર ના જણાવ્યા મુજબ સિદ્ધુ કપિલ શર્માનો કોમેડી શૉ છોડી રહ્યા છે.
રિપોર્ટ મુજબ નવજોતકૌરએ જણાવ્યું છે કે હાલમાં તેમના પતિ પંજાબના રાજકારણ પર ધ્યાન કેન્દ્રિત કરશે. સિદ્ધુ 30 સપ્ટેમ્બર સુધીના શોનું રેકોર્ડિંગ કરી ચૂક્યા છે. ત્યારપછી તેઓ શૉને અલવિદા કહી દેશે. પરંતુ ખુબ નવજોતસિંહ સિદ્ધુએ આ વિશે કઈ જ કહ્યું નથી.
રિપોર્ટ મુજબ નવજોતસિંહ સિદ્ધુ 1 ઓક્ટોબરે અમૃતસર જશે. કપિલ શર્માનો કોમેડી શૉમાં કામ કરવાવાળા એક એક્ટરે પણ જણાવ્યું છે કે નવજોતસિંહ સિદ્ધુ શૉ છોડી રહ્યા છે.