પોતાને કાળી બતાવીને લાઈમલાઈટ લઇ રહી છે: ક્રિષ્ના
કોમેડી નાઈટ બચાઓમાં પોતાની ફિલ્મને પ્રોમોટ કરવા આવેલી તનિષ્ટા ચેટર્જીનો અનુભવ કંઈક ખાસ ના રહ્યો. આપને જણાવી દઈએ કે શૉ દરમિયાન તનિષ્ટા ચેટર્જીને કાળી કહેવામાં આવી. જેના કારણે તે શૉ વચ્ચે જ છોડીને ચાલી ગયી.
આ આખા વિવાદ પર શૉના કલાકાર ક્રિષ્નાએ પોતાનું મૌન તોડ્યું છે. તેમને કહ્યું છે કે તેઓ તનિષ્ટા ચેટર્જીના આવા રિએક્શનથી હેરાન છે. તેને કહ્યું કે તનિષ્ટા ચેટર્જીએ શૉનો ભાગ બનતા પહેલા એકવાર શૉ જોઈ લેવો જોઈતો હતો.
ક્રિષ્નાએ આગળ કહ્યું કે તનિષ્ટા ચેટર્જી આ બધું જ લોકપ્રિયતા મેળવવા માટે કરી રહી છે. જયારે તે સેટ પર આવી ત્યારે તે સૌથી પહેલા મને મળી હતી. તનિષ્ટાએ મને કહ્યું કે તેને કોમેડી નાઈટ બચાઓ કે પછી એઆઈબી રોસ્ટ ક્યારેય પણ જોયું નથી.
ક્રિષ્નાએ આગળ કહ્યું કે જયારે શૉ ચાલુ થયો ત્યારે તેને જોયું કે તનિષ્ટા ચેટર્જી થોડી અનકમ્ફર્ટેબલ હતી અને આ વાત તેને શૉના ડાયરેક્ટરને પણ જણાવી.
તેને જણાવ્યું કે તનિષ્ટા ચેટર્જી શૉમાં બિલકુલ પણ એન્જોય કરી રહી ના હતી અને શૉના બે ત્રણ સેગ્મેન્ટ શૂટ કર્યા પછી તે શૉની કાસ્ટ સાથે નીકળી ગયી.
ક્રિષ્નાએ કહ્યું કે અમે ભારતીને પણ ઘણું બધું કહીયે છે. મોટી, ભેંસ અને બીજું ઘણું બધું. પરંતુ બોલવાનો પણ એક ઢંગ હોય છે અને તનિષ્ટા ચેટર્જી તેના માટે બિલકુલ તૈયાર નથી.
ક્રિષ્નાએ કહ્યું કે તેને તનિષ્ટા ચેટર્જી સાથે કોઈ જ વેર નથી. તેઓ મહિલાઓની ઇઝ્ઝત કરે છે અને જો તેમની ભાવનાઓ દુભાઈ હોય તો માફી માંગુ છું. પરંતુ અમારું કામ કોઈની પણ લાગણી દુભાઈ એવું નથી.