For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખારીકટ કેનાલમાં 4 બાળક ડૂબ્યા

અમદાવદમાં ચાર બાળકો ખારીકટ કેનાલમાં ડૂબ્યા. 1નો બચાવ જ્યારે 2ના મોતના ખબર આવ્યા છે. વધુ એક બાળકીને બચાવવા ફાયર બ્રિગ્રેડની મદદ લેવાઇ છે. .

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

અમદાવાદ શહેરના મણીનગર વિસ્તાર માંથી પ્રસાર થતી ખારીકટ કેનાલમાં ન્હાવા પડેલા ૪ બાળકો પૈકી ૨ બાળકોના મોત, ૧ બાળકીની શોધખોળ ચાલુ, ૧નો બાળકનો બચાવ કરવામાં આવ્યો છે. ખારીકટ કેનાલમાં ન્હાવા પડેલ ૪ બાળકો પૈકી ૧ બાળકને ડૂબતા સ્થાનિકો દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો. અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જોકે કેનાલ ઊંડી અને વહેતી હોવાથી ફાયર કર્મીઓને મૃતદેહ શોધવામાં પણ સમય લાગ્યો હતો. ફાયર કર્મીઓ દ્વારા બે બાળકોના મૃતદેહ કેનાલ માંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને બાળકીની શોધખોળ હાથધરી હતી

river

ફાયર કર્મી દ્વારા અનીલ અને અજય ઠાકોર નામના બે બાળકોના મૃતદેહ કાઢવામાં આવ્યા હતા જોકે હજુ બાળકી સંધ્યાની શોધખોળ ચાલુ છે. બીજી બાજુ સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અગાઉ પણ ખારીકટ કેનાલમાં ડૂબી જવાથી કેટલાક લોકોના મોત થયા છે. કોઈ કેનાલ માં ડૂબી ન જાય તેને તંત્ર કોઈ વ્યવસ્થા કરે તેવી સ્થાનીકોની માંગણી છે. હવે જોવાનું રહ્યું તંત્ર આ સમસ્યાનું કયારે નિરાકણ લાવે છે લોકોની જિંદગી બચાવે છે

English summary
Ahmedabad 4 kids drawn, rescue operation is going on. Read more on it.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X