For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉના પહોંચી કેજરીવાલે કહ્યું"સરકાર, ભાજપના ગુંડાઓને બચાવે છે"

|
Google Oneindia Gujarati News

આપ સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી તેવા અરવિંદ કેજરીવાલે ઉનાના સમઢીયાળા પહોંચીને પીડિત દલિતોને મળ્યા હતા. અને તેમની સાથે ચાની ચુસ્કી પણ લીધી હતી. ઉનાના સમઢીયાળામાં પીડિતો સાથે મળીને મીડિયા સાથે વાતચીત કરતા અરવિંદ કેજરીવાલે આનંદીબેનની સરકાર તીખા વાકબાણ છોડતા કહ્યું હતું કે "રાજ્ય સરકાર તેમના ભાજપના ગુંડાઓને બચાવી રહી છે"

દલિતો પર થાય છે ખોટા કેસ: કેજરીવાલ

arvind kejriwal

વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ લોકો વર્ષોથી ચામડાનો વ્યવસાય કરે છે. પેઢી દર પેઢીથી ચાલી આવતા આ વ્યવસાયને છોડવા માટે તે હવે આ ધટના બાદ મજબૂર બન્યા છે. ત્યારે જો તે આ વ્યવસાય છોડી દેશો તો પછી તેમનું ઘર કેવી રીતે ચાલશે. વધુમાં તેમણે કહ્યું કે આ લોકો તેમના બાળકોને ભણાવવા માટે લોન લીધી છે પણ તે વ્યવસાય દ્વારા પરત કરવાના હતા પણ હવે તેમનો ભવિષ્યનું શું?

પોલિસ સંડોવણી વગર શક્ય નથી આ બધુ:

arvind kejriwal

કેજરીવાલે કહ્યું કે પોલિસ સંડોવણી વગર આ થવું શક્ય નથી. તેમણે કહ્યું પીડિતોને જે ડંડાથી મારવામાં આવ્યા તે ડંડા પોલિસ ના હતા ત્યારે હાલ ભલે સરકાર તેમની સામે કેસ કરી રહી હોય પણ પાછળથી આ જ સરકાર આ તમામ કેસોને નબળા પાડી દેશે. જો કે મીડિયા સાથે અરવિંદ કેજરીવાલ જ્યારે આવી પ્રતિક્રિયા આપી રહી હતી ત્યારે ત્યાં હાજર લોકો તેમની પ્રતિક્રિયાને તાળીઓથી વધાવી હતી.

દલિતો પર થાય છે ખોટા કેસ: કેજરી

arvind kejriwal

વધુમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે દલિતોની જમીન પણ અહીં હડપવામાં આવે છે અને તેમની પર ખોટા કેસ કરવામાં આવે છે. સાથે જ તેમણે ત્યાં હાજર લોકોને આશ્વાસન આપતા કહ્યું કે હું તમારા વતી લડીશ. અને આપણે આ વાતે સાથે મળીને આંદોલન કરીશું.

English summary
arvind kejriwal gujarat visit latest update in una
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X