ચોટીલાઃ બીસીજીના ઇંજેક્શને લીધો બે જોડિયા બાળકોનો જીવ
ચોટીલા, 14 નવેમ્બરઃ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ધારઇ ખાતે રહેતા ખેડૂત કોળી યુવાનના બે જોડિયા બાળકોને બીસીજીના ઇંજેક્શન આપવામાં આવ્યા બાદ બન્ને બાળકો મોતને ભેટ્યાં હોવાની શંકા દર્શાવતા સમગ્ર તાલુકામાં ખળભળાટ મચી જવા માપ્યો છે. આ અંગે કાર્યવાહી કરતા પોલીસે બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ મોકલી આપ્યા છે, પીએમ રીપોર્ટ આવ્યા બાદ સત્ય હકિકત બહાર આવશે, તેવું જાણવા મળ્યું છે.
ચિંતાગ્રસ્ત માતાએ જ્યારે પોતાના બાળકોને જોયા તો બન્ને મૃત અવસ્થામાં હતા, તેથી તેમણે પોતાના પતિને જાણ કરી અને થોડીકવારમાં ઘરમાં રોકકળ અને દેકારો થતાં ધારઇના સરપંચ સહિતના ગ્રામજનો ઘરે દોડી ગયા હતા. ગુરૂવારે બન્ને બાળકોને ચોટીલા રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ સ્ટાફ હાજર થયો હતો અને બનાવની પ્રાથમિક તપાસ કરી બન્ને બાળકોના મૃતદેહોને રોજકોટ પીએમ અર્થે મોકલી દીધા હતા. રીપોર્ટ આવ્યા બાદ સમગ્ર બનાવ અંગેની સત્ય હકિકત જાણ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ દ્વાર જણાવવામાં આવ્યું છે.