માંડવીમાં અપહરણ બાદ હત્યા કરી, લાશને ફેંકી દીધી
નવીન ઈશ્વર ગઢવી નામના વ્યક્તિને લાશ મળી આવી છે. નવીન ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલો હતો.
કચ્છના માંડવી - ભારાસર રોડ પર એક યુવકની લાશ મળી હતી. પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ કરતા યુવકની હત્યા કરી લાશને ફેંકી દીધી હોવાનો ખુલાસો થયો છે. જોકે પોલીસે વધુ તપાસ હાથધરતા જેની લાશ મળી હતી તેનું અપહરણ ભુજમાંથી કરવામાં આવ્યું હોવાનો સામે આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.
ગત રોજ પોલીસને ફરિયાદ મળી હતી ભુજ માંથી એક યુવકનું અપહરણ થયું છે. જેને લઇ પોલીસે તપાસ કરતી હતી રાત્રે પોલીસને મેસેજ મળ્યો હતો માંડવી - ભારાસર રોડ પર એક યુવકની લાશ મળી છે. જે બાદ ઉચ્ચ અધિકારીઓ સહીત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતા જેનું અપહરણ કરવામાં આવ્યું હતું તેની લાશ હતી. મળતી માહિતી મુજબ યુવકનું ભુજથી અપહરણ કરવામાં આવ્યું હતું તેને ગળેફાંસો આપી ફેંકી દેવામાં આવ્યો છે.
આ યુવકનું નામ નવીન ઈશ્વર ગઢવી છે. જેની લાશ મળતા પોલીસે તપાસ હાથધરી છે. મળતી માહિતી મુજબ મૃતક નવીન હિસ્ટ્રીશીટર હતો તેની થોડા સમય અગાઉ પોલીસે છેતરપીંડીના ગુનામાં ધરપકડ કરી હતી. પૈસાના લેવડ - દેવડ મામલે તેની હત્યા થઇ છે તેવું પોલીસને લાગી રહ્યું છે. પોલીસે અલગ - અલગ દિશામાં તપાસ હાથધરી છે.