અમિત શાહની એન્ટ્રી લઇને કોઇ ના સુવા સુધી: ભાજપ કારોબારી
જાણો સોમનાથમાં ચાલતી ભાજપની કારોબારીની બેઠકના બીજા દિવસે શું થયું. વિગતવાર વાંચો અહીં
સોમનાથ ખાતે ભાજપ કારોબારીનો આજે બીજો અને અંતિમ દિવસ છે. આજે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આ સભાનું સંબોધન કર્યું હતું. અને ગુજરાતના મિશન 150 પ્લસના સંકલ્પ માટે કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા. નોંધનીય છે કે આ બેઠકમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન, મુખ્યમંત્રી વિજય રૂપાણી, જીતુ વાઘાણી, પુરૂષોત્તમ રૂપાલા સમતે તમામ ભાજપના મોટા નેતાઓએ હાજરી આપી હતી. વધુમાં અમિત શાહે કારોબારીની આ બેઠકમાં બંધ બારણે કેટલાક નેતાઓ જોડે બેઠક કરતા સમગ્ર માહોલ ગરમાયો હતો.
જો કે આ બેઠકમાં પણ મંચ પર આનંદીબેન અને અમિત શાહ વચ્ચેનો મન મોટાવ જોવા મળ્યો હતો. આ બન્ને એકબીજાથી દૂરી બનાવેલી રાખી હતી. જેના કારણે કાર્યકરોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી. આજે બે દિવસની આ કારોબારી બેઠકના અંતે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 150થી વધુ સીટો મળે તે માટે આ બેઠકમાં નેતાઓએ મક્કમતા દર્શાવી હતી.
Read also : Photos: સોમનાથના 3-D લાઇટ શોની તસવીરો જુઓ અહીં.
જો કે આજે સવારે આ કારોબારીની બેઠકમાં ત્યારે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી નાનુભાઇ વાનાણી ઊંધતા ઝડપાતા તે હાસ્યનું કેન્દ્ર બન્યા હતા. તો વળી અન્ય નેતાઓ પણ સ્માર્ટફોનમાં જ વ્યસ્ત જોવા મળ્યા હતા. ત્યારે તે જોતા આવનારા સમયમાં ભાજપ નાનુભાઇને જેમ ઊંઘતું ઝડપાશે કે પછી 150 સીટોનો ટાર્ગેટ પૂર્ણ કરે તે હવે જોવાનું રહ્યું.