150માંથી એકડો જ્યારે નીકળી જશે ત્યારે ભાજપને ખબર પડશે
અમિત શાહના નિવેદન અંગે કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની પ્રતિક્રિયા વિગવતાર વાંચો અહીં.
બુધવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઉત્તર પ્રદેશ સમેત ચાર રાજ્યોમાં ભાજપની જીત પછી પહેલી વાર ગુજરાતની મુલાકાત લીધી હતી. ત્યારે ભાજપ દ્વારા અમદાવાદ ખાતે એક તેમના સત્કાર અને આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અમિત શાહે કોંગ્રેસ તરફી જે અક્ષેપો કર્યા હતા તે અંગે કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ તીક્ષ્ણ પ્રતિક્રિયા આપી હતી.
આ અંગે બોલતા ભરતસિંહે જણાવ્યું કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને બફાટ કરવાની ટેવ છે. અમિત શાહ પર ટિપ્પણી કરતા તેમણે કહ્યું કે અમિત શાહ નરેન્દ્ર મોદીની છત્રછાયામાં આશીર્વાદ પામીને જેલમાંથી બનેલા રાષ્ટ્રીય અધ્યક્ષ "કોંગ્રેસ આવે છે" તેવા ગુજરાતની પ્રજાના અવાજથી ડઘાઈ ગયા છે.
Read also: અમિત શાહે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017નો શંખનાદ ફૂંક્યો
રાહુલ
ગાંધી
અમિત
શાહના
રાહુલ
બાબાએ
ઇટાલિયન
ચશ્મા
પહેર્યા
છે
તેવી
ટિપ્પણી
પર
ભરત
સિંહે
કહ્યું
કે
રાહુલ
ગાંધી
જેવા
પ્રજા
માટે
સંઘર્ષ
કરતા
નેતા
ભાજપમાં
કોઈ
નથી.
મોદી
સરકારમાં
153થી
વધારે
સૈનિકો
શાહિદ
થયા,
12થી
વધુ
અધિકારીઓ
શાહિદ
થયા
અને
790થી
વધારે
વખત
સીઝ
ફાયરનું
ઉલ્લંઘન
થયું
નવેમ્બર ચૂંટણી
ભરત સિંહે કહ્યું કે અમિત શાહ નવેમ્બરમાં ચૂંટણીનો સંકેત આપે છે એટલે હજુ કઈ તોડફોડ અને ગોઠવણ કરી ચૂંટણી જીતવાના સપના જોઈ રહ્યા છે. 150માંથી એકડો એમનો નીકળી જશે ત્યારે ગુજરાયની પ્રજાના તેવરનો ભાજપને ખ્યાલ આવશે.
રૂપાણી પર કટાક્ષ
મોદી-શાહની રંગ-બિલ્લાની જોડીને ગાંધી-સરદાર સાથે સરખાવી દેશના રાષ્ટ્રપિતા અને લોખંડી પુરુષ સરદારનું અપમાન બરાબર છે રૂપાણીની બુદ્ધિ બેર મારી ગઈ હોય એમ લાગે છે. આ નિવેદન મુદ્દે રૂપાણીયે માફી માંગવી જોઈએ અને રાજીનામુ આપવું જોઈએ.