કોંગ્રેસે ચૂંટણી પંચના નિર્ણયને કહ્યું "સત્યની વિજય"
ચૂંટણીપંચે કોંગ્રેસના આરોપોને સાચા ઠેરવીને તેના બે નેતાઓના મતને કર્યા રદ્દ. ચૂંટણી પંચના આ નિર્ણય પછી કોંગ્રેસી નેતાઓ વ્યક્ત કરી ખુશી. અહીં વાંચો તેમની પ્રતિક્રિયા.
ગુજરાત રાજ્યસભામાં ચૂંટણીમાં મોડી રાતે ચૂંટણી પંચ કોંગ્રેસ માટે એક સારા સમાચાર લઇને આવ્યું છે. લાંબા વિવાદ બાદ ચૂંટણી પંચે જાહેરાત કરી છે કે તે કોંગ્રેસના બન્ને ધારાસભ્યો ભોળાભાઇ ગોહિલ અને રાધવજી પટેલના વોટને અમાન્ય જાહેર કર્યા છે. અને સાથે જ ગુજરાત રાજ્યસભાના પરિણામો માટે મતગણતરી શરૂ કરાવી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસનો આરોપ હતો કે આ બન્ને નેતાઓએ કોંગ્રેસના એજન્ટને વોટ બતાવાની જગ્યાએ ભાજપના નેતાઓને પરચી બતાવી હતી. અને આ ઉપર વીડિયો ફૂટેજમાં પણ પુરાવા મળતા ચૂંટણી પંચે લાંબે માથાકૂટ બાદ આ બન્ને વોટને રદ્દ જાહેર કર્યા છે.
કોંગ્રેસની વાત ચૂંટણી પંચે સ્વીકારી તેમના હકમાં નિર્ણય આવતા કોંગ્રેસી નેતાઓએ આ વાતને આવકારી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આર.એસ સુરજવાલાએ જણાવ્યું કે ભાજપના તમામ કાવાદાવા પછી સત્ય બહાર આવ્યું છે અને અહમદ પટેલ હવે જરૂર જીતશે. તો બીજી તરફ ગુજરાતના કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકીએ પણ કહ્યું છે કે ચૂંટણી પંચના આ નિર્ણય પછી કોંગ્રેસી કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ વધ્યો છે. અને આજે લોકશાહીની જીત થઇ છે. સાથે જ તેમણે અહમદ પટેલ ભારે મતો સાથે જીતશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
Truth has emerged victorious in spite of BJP using all the power. Ahmed Patel will win: RS Surjewala #GujaratRSPolls pic.twitter.com/jRBu1qMcQw
— ANI (@ANI) August 8, 2017
Big win for democracy; will boost morale of Congress worker. Ahmed Patel will win with big margin: Bharatsinh Solanki, Gujarat Cong Pres pic.twitter.com/IrYHbHWx9J
— ANI (@ANI) August 8, 2017