For Daily Alerts
અરવિંદ કેજરીવાલ પહોંચ્યા રાજકોટ; કહ્યું ભાજપ સરકાર દલિત વિરોધી છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે. આજે સવારે તેમણે રાજકોટની સિવિલ હોસ્પિટલ પહોંચીને ઉના દલિત કેસના પીડિતોની મુલાકાત લીધી હતી.
વધુમાં તેમણે મીડિયાની સાથે વાતચીત કરતા ગુજરાત સરકાર અને ભાજપ દલિત વિરોધી છે. અહીં જે પણ આંદોલન કરે છે તેને જેલમાં નાખવામાં આવે છે. સાથે કેજરીવાલે દલિત પીડિતોને વળતર અને સરકારી નોકરી આપવાની માંગણી કરી હતી.
વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતની સરકારને તમામ ધર્મના લોકોએ મળીને સબક શીખવાડવાની જરૂર છે. નોંધનીય છે કે આ અરવિંદ કેજરીવાલની બીજી ગુજરાત યાત્રા છે.
Comments
English summary
Delhi CM Arvind Kejriwal meets victims of Una incident at civil hospital, says culprits must be booked to justice