250 કરોડના ખર્ચે થશે ગાંધીનગર રેલ્વે સ્ટેશનું કાયાકલ્પ, જાણો ખાસ વાત
જાણો ગાંધીનગર રેલ્વે સ્ટેશનના કાયાકલ્પની તે તમામ ખબરો જેનું ખાતમૂહર્ત 9મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે.
ગાંધીનગર રેલ્વે સ્ટેશન 250 કરોડના ખર્ચે કાયાકલ્પ કરવામાં આવશે. જેનું ખાતમૂહર્ત 9મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર ખાતે ગાંધીનગરના આ રેલ્વે સ્ટેશનની કાયાકલ્પ કરવાની અને 5 સ્ટાર હોટલ બનાવવાની જાહેરાત રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી હતી. ત્યારે આ રેલ્વે સ્ટેશનની કાયાકલ્પ કેવી રીતે કરવામાં આવશે તે અંગે રસપ્રદ માહિતી વાંચો અહીં....
રેલ્વે
ટ્રેક
પર
હોટલ
નોંધનીય
છે
કે
આ
પ્રોજેક્ટ
હેઠળ
પહેલી
વાર
કોઇ
પાંચ
સ્ટાર
હોટલ
રેલ્વે
ટ્રેક
પાસે
બની
રહી
છે.
આ
પાંચ
સ્ટાર
હોટલમાં
300
રૂમો
બનાવવામાં
આવશે.
જેથી
કરીને
મહાત્મા
ગાંધી
મંદિર
અને
રેલ્વે
સ્ટેશનને
એકબીજા
સાથે
જોડી
શકાય.
જેથી
કરીને
આવનારા
સમયમાં
જ્યારે
પણ
વાઇબ્રન્ટ
ગુજરાત
કે
અન્ય
આવા
મોટા
કાર્યક્રમો
થાય
ત્યારે
વિદેશી
મુલાકાતીઓને
અને
પ્રવાસીઓને
સરળતા
પડે.
ખાસ
વાતો
આ
નવી
બિલ્ડીંગમાં
6,8
અને
10
માળના
ટાવર
જોવા
મળશે.
જેમાં
200
જેટલા
ટૂ
વ્હિલર્સ
અને
1000
જેટલી
કાર
તથા
100
જેટલી
રિક્ષાઓનું
પણ
પાર્કિંગ
થાય
તેવી
વ્યવસ્થા
ઊભી
કરવામાં
આવશે.
વળી
આ
ઇમારતમાં
ફૂડ
સ્ટોલ,
દૂકાનો
અને
વાઇફાઇ
સુવિધા
પણ
આપવામાં
આવશે.
જેથી
કરીને
લોકોને
યુઝર
ફ્રેન્ડલી
વાતાવરણ
મળી
શકે.
ગાંધીનગરની શાન
નોંધનીય છે કે અત્યાર સુધી ગાંધીનગર ખાતે આવેલા મહાત્મા મંદિરને ગાંધીનગરની શાન માનવામાં આવતું હતું. ત્યારે આ રેલ્વે સ્ટેશનના આધુનિકરણ બાદ ગાંધીનગરની શાનમાં વધારો થશે તે વાત નક્કી છે. સાથે જ ગાંધીનગરમાં જોવા લાયક સ્થળોની જગ્યા પણ વધશે.