ભારતમાં આવા સીઘી સૂંઢના ગણપતિ માત્ર ગુજરાતમાં છે
[માનસી પટેલ] ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચતુર્થીના દિવસે સિદ્ધિ વિનાયક તમને અલગ અલગ રૂપમાં જોવા મળશે પરંતુ વિઘ્નહર્તાને સીધી સૂંઢમાં તમે ભાગ્યે જ જોયા હશે. આજે તમને એવા ગણપતિના દર્શન કરાવીએ છીએ.
ગુજરાના ધ્રાંગધ્રામાં આવેલું એક્દંત ગણપતિનું મંદિર ૨૦૦ વર્ષ કરતાં પણ વધુપૌરાણિક છે જ્યાં આજૈ સૌ દર્શન માટે ઉમટી પડ્યા હતા છે. કહેવાય છે કે આ મંદિર અહીંના મહારાજાઅજીતસિંહ દ્વારા બનાવવામાં આવ્યું હતું. અને અેકદંત ગણપતિ ભાગ્યે જ જોવા મળતા હોય છે.
આમંદિરમાં ગણપતિ પોતાના સમગ્ર પરિવાર સાથે એટલે કે, માતા-પિતા શિવ-પાર્વતી, પત્ની રિદ્ધિ-સિદ્ધિ, પુત્રશુભ-લાભ આવી રીતે બિરાજેલ છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે, સીધી સુંઢવાળા છે. અને સર્પનીજનોઇ ધારણ કરેલ છે. આવી મૂર્તિ ભારતભરમાં બીજે ક્યાંય નથી.
જેથી આ મંદિરે ભાદરવા સુદ-ચોથઅને વૈશાખ સુદ-ચોથ ના દિવસે હજારોની સંખ્યામાં બહારથી પણ લોકો દર્શનાથે આવે છે. અને આમંદિરમાં પૂજા-હવન, આરતી થાય છે. અને, નાના મેળો પણ ભરાય છે. અને સૌ આ ઉમાપુત્રના દર્શન કરીને કૃતાર્થ થાય છે.