સરકારી શાળાના મધ્યાહન ભોજનમાંથી મરેલો ઉંદર મળ્યો
કલોલ તાલુકાના જામળાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાંથી મરેલો ઉંદર મળ્યો.
રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના સ્વાસ્થને લઇ બહુ ગંભીરતા દેખાડે છે બીજી બાજુ ગાંધીનગરના જામળા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાન ભોજનમાં મરેલો ઉંદર મળી આવતા તંત્ર દોડતું થયું હતું અક્ષયપાત્ર સંસ્થા દ્વારા પીરસવામાં આવેલા ભોજનમાં મરેલો ઉંદર નિકલા ચકચારી મચી ગઈ હતી. ઘટના બનતા ધારાસભ્ય, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન સહિત તાલુકાના અધિકારી, સરપંચ અને અક્ષયપાત્ર સંસ્થાના કર્મીઓ દોડી જામળા પહોંચી ગયા હતા.
કલોલ તાલુકાના જામળાની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મધ્યાન ભોજન અંતરગત પોષણ યુક્ત ભોજન વિદ્યાર્થીઓની થાળીમાં પીરસવામા આવે પહેલા શાળાના શિક્ષિકા બહેને જાગૃતાથી પુલાવનું ચેકીંગ કરતા લાકડા જેવુ દેખાતા બહેને તેને બહાર કાઢતા દેખાતી વસ્તુ મરેલો ઉંદર હતો. વિદ્યાર્થીઓ માટે લાવવામાં આવેલા ભોજનમાં ઉંદર નિકળવાની વાત ટોક ઓફ ઘ ટાઉન થઇ ગઈ હતી ધારાસભ્ય સહીત અધિકારીઓ દોડી આવ્યા હતા. મધ્યાન ભોજન વિભાગના કમિશનર રાજેન્દ્ર ત્રિવેદીએ ઘટનાને ગંભીરતાથી લઇ તપાસના આદેશ આપ્યા છે હવે આગામી સમય બતાવશે આટકી મોટી ભૂલ કોની હતી