સુમીત્રાબેનના પરિવારને અપાયો ચેક, અમરનાથ હુમલામાં થઇ હતી મોત
અમરનાથ આંતકી હુમલામાં મૃત્યુ પામેલા સુમિત્રાબેન પટેલના પરિવારને અપાયો ચેક. સરકાર તરફથી તેમના પરિવારને આપવામાં આવ્યો 10 લાખનો ચેક. કલેક્ટરની હાજરીમાં પરિવાર બન્યો શોકમય.
ગત સોમવારે જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં અમરનાથ યાત્રીઓ પર આંતકી હુમલો થયો હતો. જેમાં 5 મહિલાઓ સમેત 7 લોકોની મોત થઇ હતી. જે બાદ સરકારે મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયાની સહાય કરવાની વાત કરી હતી. ત્યારે આ હુમલામાં મૃત્યુ પામેલા સુમિત્રાબેનના પરિવારને શનિવારે સુરતમાં ભાજપી ઘારાસભ્ય અગ્રણી અને ક્લેટર દ્વારા 10 લાખનો સહાયક ચેક આપવામાં આવ્યો હતો. કલેક્ટર દ્વારા સુરત ખાતે તેમના ઘરની મુલાકાત લઇને આ ચેકની ફાળવવામાં આવ્યો હતો.
સુરતમાં સુમિત્રાબેન પટેલના પરિવારને 10 લાખનો સહાયક ચેક અપર્ણ કરતી વખતે પણ તેમના પરિવારજનો શોકગ્રસ્ત થયા હતા. જેને કલેક્ટર મહેન્દ્ર પટેલ આશ્વાસન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ હુમલાના બે દિવસની અંદર જ મૃતકના પરિવારને આર્થિક સહાય સરકાર તરફથી મોકલવામાં આવી છે. અને જલ્દી જ અન્ય યાત્રીઓ જેમણે તેમના પરિવારજનોને ગુમાવ્યા છે તેમને પણ સરકાર તરફથી જલ્દી જ સહાય આપવામાં આવશે.