9મી રોજ GST માટે ગુજરાત વિધાનસભાનું એક દિવસીય સત્ર મળશે
જીએસટીને પસાર કરવા માટે રાજ્ય સરકાર બોલાવશે 9મીના રોજ એક સત્ર. વિગતવાર જાણો અહીં.
ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા લાવનારા જીએસટી બીલના સંદર્ભે ગુજરાત વિધાનસભાનું ૯ મેં ના રોજ એક દિવસીય ખાસ સત્ર બોલાવવામાં આવ્યો છે. આ સત્રની જાહેરાત સંસદીય બાબતના રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ દ્વારા કરવામાં આવી છે. દેશમાં એકસમાન ટેક્સ માટે GST બીલના વિધેયકને લોકસભા મળેલી મંજુરી બાદ હવે દરેક રાજ્યએ તેને વિધાનસભા પસાર કરવાનો છે. જેને લઇ ગુજરાત માં ૯ મેંના રોજ GST લાગુ કરવા માટે એક દિવસીય વિધાનસભા ખાસ સત્રની જાહેરાત કરવામાં આવી છે. આ સત્રમાં GST બીલ પસાર કરવામાં આવશે. દેશભરમાં સમાન ટેક્સ પદ્ધતિ હેતુથી ૧ જુનથી GSTનો અમલ લાગુ થવાનો છે.
નોંધનીય છે કે કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા તમામ નિયમોને લાગુ કરવામાં ગુજરાત સરકાર હંમેશા આગળ રહી છે. અને ગુજરાત સરકારનો હંમેશા તેવો પ્રયાસ રહ્યો છે કે કેન્દ્ર સરકારના લાભ જલ્દીની ગુજરાતની પ્રજાને આપી શકાય. ત્યારે 9મી મે ના રોજ જીએસટી માટે પણ એક દિવસીય ખાસ સત્ર બોલવવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ હાજર રહેશે.