હવે ભક્તો બહુચરાજીમાં દાન ઓનલાઇન આપી શકશે
બહુચરાજી, 19 સપ્ટેમ્બર : ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ બેચરાજી માતાજીના મંદિરા દાનની આવક વધારવા માટે હવે અંબાજી માતાના મંદિરના વહીવટમાંથી પ્રેરણા લેવાનું નક્કી કર્યું છે. આ માટે મંદિરે બિનનિવાસી ભારતીયો તરફથી દાનની આવક વધે તે માટે દાન આપવાની ઓનલાઇન સુવિધા શરૂ કરી છે. આ માટે બેરરાજી મંદિર દ્વારા એક વેબસાઇટ શરૂ કરવાની સાથે એક ખાનગી બેંક સાથે જોડાણ પણ કર્યું છે.
આ વેબસાઇટ દ્વારા બેચરાજી માતા મંદિર વિશે વિવિધ માહિતી મળવા ઉપરાંત વિદેશમાં વસતા ભારતીયો તરફથી ઉદાર હાથે દાન મળી શકશે. આ માટે મંદિરે એચડીએફસી મંદિર સાથે જોડાણ કર્યું છે.
બેચરાજી મંદિર તેની ચૌલક્રિયા વિધિ માટે પણ પ્રસિદ્ધ છે. બહુરાજીના મંદિરમાં દર વર્ષે 40,000થી પણ વધારે ચૌલક્રિયા કરવામાં આવે છે. આ દ્વારા પ્રાપ્ત વાળ બજારમાં રૂપિયા 8,000 પ્રતિ કિલોના ભાવે વેચાય છે. મંદિરે વાળના આ જથ્થાનું વેચાણ પણ તિરુપતિ બાલાજી મંદિરની જેમ હરાજીથી વેચાણ કરવાનું શરૂ કર્યું છે.આ હરાજીથી મંદિરને વાર્ષિક રૂપિયા 20 લાખની આવક મળે છે.