સર્વે: જાણો લોકોએ શું કહ્યું નોટબંધી સામાન્ય માણસ માટે ફાયદાકારક છે?
જાણો ગુજરાતી વનઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા સર્વેમાં લોકોએ શું પ્રતિક્રિયા આપી. શું નોટરદ્દ થવાથી સામાન્ય માણસને કોઇ ફાયદો થયો છે. તે અંગે લોકોનું મતંવ્ય જાણો અહીં.
વનઇન્ડિયા દ્વારા નોટબંધી પર અમે એક સર્વે કર્યો હતો. આ સર્વે અમે અમારી અન્ય ચેનલા જેમ કે અંગ્રેજી, તમિલ, તેલુગુ, કન્નડા, મલયાલમ અને બંગાળી ચેનલમાં પણ કર્યો હતો જેમાં 31198 લોકોએ ભાગ લીધો હતો. ત્યારે અત્યાર સુધીના સૌથી મોટા ઓનલાઇન પોલમાં લોકોએ અમારા સવાલોનો શું જવાબ આપ્યો જાણો અહીં.
સર્વે : શું મોદી સરકારનો નોટરદ્દ કરવાનો નિર્ણય યોગ્ય છે?
અમારા આ સર્વેમાં અમે લોકોને પૂછ્યું હતું કે શું નોટબંધીના આ નિર્ણયથી સામાન્ય માણસને કોઇ રીતેનો ફાયદો થશે. જેમાં ભારતભરથી કુલ 18503 લોકોએ તે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ નિર્ણયથી લાંબા ગાળે સામાન્ય જનતાને ફાયદો થશે.
એટલું જ નહીં લોકોએ સ્વીકાર્યું કે આ નિર્ણય લેતી વખતે મોદી સરકારે જે રીતે ગુપ્તતા જાળવી તે પણ યોગ્ય હતી. કુલ 64.2 ટકા લોકોએ મોદી સરકાર દ્વારા આ નિર્ણયને લઇને રાખવામાં આવતી ગુપ્તતાનું સમર્થન કર્યું હતું.
જો કે નોટબંધી બાદ સરકારની જે અવ્યવસ્થા સામે આવી છે તે અંગે સવાલ પૂછતા59.3 ટકા લોકોએ તે વાત સ્વીકારી કે નોટબંધી બાદ સરકારની અણઆવડત છતી થઇ છે. જ્યારે 40.7 ટકા લોકોએ સ્વીકાર્યું કે આવા નિર્ણયોમાં ગુપ્તતા રાખવી જરૂરી હતી. અને જે થયું તે યોગ્ય છે.
વળી 64 લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ડિસેમ્બરમાં પરિસ્થિતિ સુધરશે. નોંધનીય છે કે પીએમ નરેન્દ્ર મોદીએ લોકોની નોટરદ્દ થયા પછી ધીરજ રાખવાનું કહ્યું હતું. અને ડિસ્મબર સુધીનો સમય માંગ્યો હતો. તો સામે પક્ષે 36 ટકા લોકો તેમ પણ કહ્યું હતું કે આમ કરીને મોદી ખાલી વધુ સમય માંગી રહ્યો છે.
વળી નોટબંધી બાદ લોકોને હાલ જે નાણાની તંગી ઊભી થઇ છે તે માટે કોણ જવાબદાર છે તે સવાલના જવાબમાં 50 ટકા લોકોએ સરકારને જવાબદાર ગણાવી જ્યારે 29.8 ટકા લોકોએ આરબીઆઇ અને 20.1 ટકા લોકોએ બેંકને જવાબદાર ગણાવી હતી.
જો કે નોટરદ્દ થવાથી આવનારી 2017ની ચૂંટણી પર કોઇ અસર થશે કે કેમ તે અંગે 42.8 ટકા લોકોએ જણાવ્યું કે આનાથી ભાજપ સરકારને કોઇ નુક્શાન નહીં થાય. ઉલ્ટાનું આ નિર્ણયથી તેની જીત 2017માં પાક્કી થશે. તો 36.9 ટકા લોકોએ તે પણ કહ્યું કે લોકોની યાદશક્તિ ખૂબ જ ઓછી હોય છે અને આ વાતથી કોઇ ફરક નહીં પડે. જ્યારે 20.3 ટકા લોકોએ સરકારનો આ નિર્ણય અયોગ્ય જણાવીને બીજેપીની હારની વાત પણ ઉચ્ચારી હતી.