અમદાવાદ રિવરફ્રંટ હજી પણ સહેલાણીઓ માટે બંધ રહેશે
[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
રિવરફ્રંટ હજી બંધ રહેશે
ગુજરાતમાં થયેલા ધોધમાર વરસાદના પગલે ધરોઇ ડેમ છલકાયો હતો. જેના કારણે ધરોઇ ડેમમાંથી 76 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે અમદાવાદમાં સાબરમતી નદી બંને કાંઠે વહી રહી છે, એટલા માટે રિવરફ્રંટ પર લોકોની અવર જવર બંધ કરી દેવામાં આવી છે.
ધારાસભ્ય હર્ષ સંઘવી પહોંચ્યા ડીસા
બનાસકાંઠામાં મેઘરાજાએ એવો તો કહેર વર્તાવ્યો કે હજારો ગામો પાણીમાં ગરકાવ થઇ ગયા. ધારાસભ્ય હર્ષ સંઘવી પહોંચ્યા ડીસા. 200 વ્યક્તિઓની ટીમ સાથે પહોંચ્યા ડીસા. અસરગ્રસ્ત વિસ્તારોમાં મેડિકલ સેવા પૂરી પાડવામાં આવશે.
કાલુપુર સ્વામિનારાયણ મંદિરે ઉમટ્યા ભક્તો
અમદાવાદના કાલુપુરમાં આવેલા સ્વામિનારાયણ ભગવાનના સૌથી જૂના મંદિરમાં આજે ગુરુ પૂર્ણિમાના અવસરે દેશ-વિદેશથી 40 હજારથી વધારે સંતો અને ભક્તો ઉમટી પડ્યા છે.
|
મોરબીમાં પાટીદારોની રેલી
મોરબીમાં પાટીદારો દ્વારા અનામત મુદ્દે 10 ઓગષ્ટે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધ્યું
સતત વરસેલા વરસાદના કારણે અમદાવાદમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. જેના પરિણામે મચ્છરજન્ય રોગોનું પ્રમાણ પણ વધ્યું છે. મેલેરિયા, ડેંગ્યુ, ચિકનગુનિયા વગેરે રોગોનું પ્રમાણ વધ્યું છે.
|
ધોળાકાના હિંગોલી ગામના લોકો હજી પણ પાણીમાં
તંત્રની બેદરકારીના કારણેધોળાકાના હિંગોલી ગામના લોકો હજી પણ પાણીમાં છે.