સ્વામિનારાયણ મંદિર: આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હરિભક્તોને ધમકી
[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
ત્રણ મિત્રોએ એક મિત્રની કરી હત્યા
સલાબતપુરાના ઉમલવાડામાં ત્રણ મિત્રોએ એક મિત્રની ચપ્પુના ઘા ઝીંકી કરી હત્યા.સામાન્ય બાબતે તકરાર થતાં હત્યા કરાયાનું પ્રાથમિક તારણ.
વધુ એક હિટ એન્ડ રન
વધુ એક હિટ એન્ડ રન. આઈ10 કારે રિક્ષાને લીધી અડફટે. રિક્ષામાં બેસેલી મહિલાને ગંભીર ઈજા. ઈજાગ્રસ્ત મહિલાને સોલા સિવિલમાં ખસેડવામાં આવી છે.
ઉપવાસ પર ઉતરેલા હરિભક્તને ધમકી
વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દાન-ધર્માદા મામલે બબાલ યથાવત. છેલ્લા 21 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હરિભક્તને ધમકી.આંદોલન સમેટી લેવા અપાઈ ધમકી.
બાઈક અને જીપ વચ્ચે અકસ્માત
ખેરાલુમાં બાઈક અને જીપ વચ્ચે અકસ્માત. અકસ્માતમાં 4 લોકોને ઈજા. તમામ ઈજાગ્રસ્તોને ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખસેડાયા.
જમીન માપણીમાં ગોટાળા
જિલ્લામાં જમીન માપણીમાં ગોટાળા થતાની રાવ. ખેડૂત હિતરક્ષક સમિતિએ મુખ્ય પ્રધાનને કરી જાણ.
વડોદરામાંથી મળ્યો મૃતદેહ
મકરપુરાના સુશેન ચાર રસ્તા પાસેની દુકાનમાંથી મળ્યો મૃતદેહ. હત્યા કરાયેલ હાલતમાં મળ્યો મૃતદેહ. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી.
સિંહોની અસ્થિઓનું વિસર્જન
પૂરમાં મૃત્યુ પામેલ સિંહોની અસ્થિઓનું વિસર્જન કરાયું. મૃતક સિંહોના શોકના માનમાં શિવજીને ગંગાભિષેક કરાયો. સફાઈ અભિયાન પણ હાથ ધરાયું.