For Quick Alerts
For Daily Alerts
કચ્છ: પાકિસ્તાની મરીન દ્વારા દરિયામાંથી ૫ બોટ સહીત ૩૦ માછીમારોનો અપહરણ
ફરી પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા 5 બોટ અને 30 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. વધુ વાંચો અહીં.
પકિસ્તાન મરીન દ્વારા ફરી એકવાર ભારતીય માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ જખૌના દરિયામાં IMBL પાસેથી ૫ બોટ સહીત ૩૦ માછીમારોનું અપહરણ પાકિસ્તાન મરીન દ્વારા કરવામાં આવ્યું છે પાકિસ્તાન મરીને અપહરણ કરેલી ૫ બોટ પોરબંદરની છે. અને બોટમાં ૩૦ જેટલા માછીમારો સવાર હતા.
પાકિસ્તાન મારીને IMBL પાસેથી માછીમારોનું અપહરણ કરી કરાચી બંદર લઇ જતી વખતે ૫ પૈકી 1 બોટના ઇન્જેનમાં બ્લાસ્ટ થતા બોટ ગરકાવ થઇ હતી. બોટમાં સવાર માછીમારો બચાવ થયો હતો. બોટ એસોશિયેશન પ્રમુખ ભરતમોદીની માગ છે પાકિસ્તાનમાં સડતા માછીમારોને તાત્કલિક છોડાવામાં આવે. અવાર-નવાર પાક મરીન દ્વારા માછીમારોને અપહરણ કરવાના મામલે સરકારને પગલા ભરવા માટે રજૂઆત કરી હતી
Comments
pakistan marines indian fishermen kutch india kidnapping boat સમાચાર પાકિસ્તાન મરીન માછીમારો ભારત અપહરણ બોટ કચ્છ ગુજરાત
English summary
Kutch: Pakistan again kidnapped 30 fishermen wITH 5 boats.Read here more.
Story first published: Wednesday, May 3, 2017, 19:11 [IST]