નરેન્દ્ર મોદીએ 'રન ફૉર યૂનિટી'નો કર્યો શુભારંભ
વડોદરા, 15 ડિસેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે 'રન ફૉર યૂનિટી'નો શુભારંભ કર્યો. જ્યારે અમદાવાદમાં લાલકૃષ્ણ અડવાણીએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. 'રન ફૉર યૂનિટી'નો શુભારંભ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'આ દોડ એકતા માટે અને લોકોને પરસ્પર જોડવા માટે છે.'
નરેન્દ્ર મોદી આગળ કહ્યું હતું કે 'આ દોડ ભારતીયોની આંકક્ષાઓ તથા તેમના સપના પુરા કરવા માટે છે. દોડનો આ પ્રયત્ન રાજકારણ સાથે જોડવો જોઇએ નહી.' સરદાર વલ્લભભાઇ પટેલની પ્રશંસા કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરદાર પટેલે આ દેશને તૂટતા બચાવ્યો. તેમને કહ્યું હતું કે 'ગુજરાત એકતાના જોરે જ આગળ વધી શકે છે.'
મળતી માહિતી અનુસાર આ દોડમાં લગભગ 1.85 લોકોએ ભાગ લીધો હોવાની આશા વ્યક્ત કરવામાં આવે છે એક રેકોર્ડ હશે. આજ સરદાર પટેલની 63મી પુણ્યતિથી છે. નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી કે સરદાર પટેલને તેમની 63મી પુણ્યતિથી પર શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે આ દોડમાં જોડાવ.
'રન ફૉર યૂનિટી'નો શુભારંભ
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે 'રન ફૉર યૂનિટી'નો શુભારંભ કર્યો. જ્યારે અમદાવાદમાં લાલકૃષ્ણ અડવાણીએ લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. 'રન ફૉર યૂનિટી'નો શુભારંભ કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'આ દોડ એકતા માટે અને લોકોને પરસ્પર જોડવા માટે છે.'
દોડને રાજકારણ સાથે જોડવી નહી
નરેન્દ્ર મોદી આગળ કહ્યું હતું કે 'આ દોડ ભારતીયોની આંકક્ષાઓ તથા તેમના સપના પુરા કરવા માટે છે. દોડનો આ પ્રયત્ન રાજકારણ સાથે જોડવો જોઇએ નહી.'
ગુજરાત એકતાના જોરે જ આગળ વધી શકે છે
સરદાર વલ્લભભાઇ પટેલની પ્રશંસા કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરદાર પટેલે આ દેશને તૂટતા બચાવ્યો. તેમને કહ્યું હતું કે 'ગુજરાત એકતાના જોરે જ આગળ વધી શકે છે.'
સરદાર પટેલની 63મી પુણ્યતિથી
મળતી માહિતી અનુસાર આ દોડમાં લગભગ 1.85 લોકોએ ભાગ લીધો હોવાની આશા વ્યક્ત કરવામાં આવે છે એક રેકોર્ડ હશે. આજે સરદાર પટેલની 63મી પુણ્યતિથી છે. નરેન્દ્ર મોદીએ અપીલ કરી હતી કે સરદાર પટેલને તેમની 63મી પુણ્યતિથી પર શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે આ દોડમાં જોડાવ.
દેશના 565 જગ્યાએ દોડ શરૂ
આ દોડ દેશના 565 જગ્યાએ શરૂ થઇ છે. 'રન ફૉર યૂનિટી' નામે આ દોડની નરેન્દ્ર મોદીની યોજના છે, જેને સરદાર પટેલની દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
લોખંડ અને માટી એકઠી કરવામાં આવશે
આ દોડ બાદ દેશના હજારો ગામમાંથી લોખંડ અને માટી એકઠી કરવામાં આવશે તેના દ્વારા ગુજરાતમાં 182 મીટર ઉંચી સરદાર પટેલની મૂર્તિ સ્ટેચ્યૂ ઑફ યૂનિટી તૈયાર કરવામાં આવશે.
વડોદરામાં નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી
આ અવસરે વડોદરામાં નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી બતાવતાં કહ્યું હતું કે આજનું આયોજન દેશને જોડવા માટે છે અને આ મુદ્દે રાજકારણ રમવું જોઇએ નહી.
બેંગ્લોરમાં વૈંકિયા નાઇડુએ લીલી ઝંડી આપી
બેંગ્લોરમાં વૈંકિયા નાઇડુએ લીલી ઝંડી આપી હતી જ્યારે જયપુરમાં રાજ્યવર્ધન રાઠોરે રન ફૉર યૂનિટીને લીલી ઝંડી આપી હતી.
અમદાવાદમાં લાલકૃષ્ણ અડવાણીએ લીલી ઝંડી આપી
પાર્ટીના દિગ્ગ્જ નેતા લાલકૃષ્ણ અડવાણીએ અમદાવાદમાં દોડમાં ભાગ લીધો હતો. ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહ અને અરૂણ જેટલીએ દિલ્હીની મેરેથોનમાં સામેલ થયા હતા.
ભોપાલમાં સુષ્મા સ્વરાજે લીલી ઝંડી આપી
લોકસભામાં વિપક્ષના નેતા સુષ્મા સ્વરાજે ભોપાલની રન ફૉર યૂનિટીમાં ભાગ લીધો હતો. પાર્ટીના મુખ્તાર અબ્બાસ નકવીએ આગરા અને રવિશંકર પ્રસાદે પટણાની દોડમાં ભાગ લીધો હતો.
ભાજપનો દાવો
ભાજપે દાવો કર્યો છે કે આ દોડ ઘણા વર્લ્ડ રેકોર્ડ બનાવશે. અત્યાર સુધી દુનિયામાં એક સાથે, એક સમયે એક ઉદ્દેશ્ય માટે દોઢ લાખ લોકોનો દોડવાનો વર્લ્ડ રેકોર્ડ છે.
ગુજરાતમાંથી 5 લોકોએ ભાગ લીધો
રન ફૉર યૂનિટીમાં દોડવા માટે પાંચ લાખ લોકોનું રજીસ્ટ્રેશન ફક્ત ગુજરાતમાં જ થઇ ચૂક્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દોડમાં 10 લોકો જોડાશે.