ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.
સર્જિકલ સ્ટ્રાઇક પછી બન્ને દેશોની રણનિતી શું છે જાણો અહીં..
પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...
સુરતમાં કેજરીવાલ વિરૂદ્ધ લાગ્યા પોસ્ટર
આમ આદમી પાર્ટીની સુરતમાં સભા યોજાવાન છે ત્યારે પાટીદારો દ્વારા કેજરીવાલને પાટીદારોએ સાત સવાલ પૂછતા પોસ્ટર લગાવ્યા છે. નોંધનીય છે કે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતે અરવિંદ કેજરીવાલની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે પહેલેથી જ ચર્ચામાં રહેલી અરવિંદ કેજરીવાલની સભાની મંજૂરી માટે વિવાદ થયા બાદ પાટીદારોએ જ કેજરીવાલને સવાલો કરતા પોસ્ટર લગાવતાં રાજકીય માહોલ ગરમાયો છે.
ટાઇલ્સ પાછળ છુપાઇને લઈ જવાતું 3.5 કરોડનું રક્તચંદન પકડાયું
રાજ્યમાં ફરીથી એક વાર રક્તચંદનનો જથ્થો પકડાયો છે. અને તે પણ ટાઇલ્સની બાજુમાં છુપાવને રાખેલો. પિપાવાવ બંદર ખાતેથી એક્સપોર્ટ માટે શિપમાં કન્ટેનરનું સ્ટફિંગ કરવામાં આવે છે તે અગાઉ કેન્દ્ર સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ) દ્વારા દરોડા પાડી અને 8.930 મેટ્રિક ટન રૂપિયા 3.5 કરોડની કિંમતનું નિકાસ માટે પ્રતિબંધિત રક્ત ચંદન સાથે બે શખ્શોને જપ્ત કરવામાં આવ્યા હતા. મોરબીથી મલેશિયા ફ્લોરિંગ ટાઇલ્સ મોકલવા માટે કન્ટેનર ભરવામાં આવ્યા હતા. કન્ટેનરના દરવાજા બાજુ ટાઇલ્સ ભરેલા ખોખા હતા, અને તેની પાછળની બાજુએ રક્ત ચંદન ઘુસાડી દેવામાં આવ્યુ હતુ.
ઉનામાં વરસાદી રમઝટ
ગઇ કાલે મોડી સાંજથી ઉનામાં ભરપૂર ચોમાસું જમ્યું હતું અને વરસાદ બરાબર ખાબક્યો હતો તેના પરિણામે સનખડા, સામતેર અને ધોકડવામાંથી પસાર થતી રાવલ નદીમાં ઘોડાપૂર આવ્યાં હતાં. જેના કારણે રાવલ ડેમનાં દરવાજા ખોલાતા અન્ય એક શાહી નદીમાં પૂર આવ્યું હતું. પરિણામે ગીરગઢડાનાં નગડીયા, ફાટસર, ઇંટવાયા, ખીલાવડ સહિતનાં ગામો કલાકો સુધી સંપર્ક વિહોણા બન્યાં હતાં. ડેમનાં નિચાણવાળા વિસ્તારોનાં ગામોને એલર્ટ કરવા સૂચના અપાઈ હતી. ઉનામાં ગઈ કાલથી આજ સવાર સુધીમાં પાચેક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
7માં નોરતે લોકોએ કરી ગરબાની જમાવટ
નવલી નવરાત્રી હવે બે દિવસમાં પૂર્ણ થઇ જશે. આ વખતે વરસાદે ખેલૈયાઓનો સારો એવો સમય બગાડ્યો હતો. ત્યારે છેલ્લા છેલ્લા નોરતે મન ભરીને નવરાત્રી રમી લેવાની આશ સાથે ગુજરાતભરના ખેલૈયાઓએ ગરબાની જમાવટ કરી હતી. ત્યારે અમદાવાદના ખેલૈયાઓની આ તસવીર.
ઠંડા પીણા અને વેફર ખાધા બાદ બાળકોને ખોરાકી ઝેરની અસર
ભૂજમાં ઠંડા પીણાનું સેવન કર્યા બાદ બાળકોને ખોરાકી ઝેરની અસર થવા પામી છે. આ બાળકો લખપતના મુધાન ગામે આવ્યા હતા જ્યા તેમણે એક દુકાનમાંથી વેફર અન ઠંડા પીણા લીધા હતા. તેમાં જે બાળકોને અસર થઈ છે તે પૈકી જેમાં સંદિપસિંહ જોધાજી રાઠોડ (ઉ.વ.4), કુલદિપસિંહ જોધાજી રાઠોડ (ઉ.વ.3), શક્તિસિંહ નવુભા જાડેજા (ઉ.વ.6),જયદિપસિંહ નવુભા જાડેજા (ઉ.વ.3), સાસીબા મુળજી સોઢા (ઉ.વ.7), વિક્રમસિંહ મુળજી સોઢા (ઉ.વ.6) સહિતના બાળકોને અસર બાદ ભૂજની જી.કે. હોસ્પિટલમાં દાખલ કરી સારવાર આપવામાં આવી હતી.