ગુજરાતમાં સ્વાઇન ફ્લૂનો કહેર, વધુ એક મોત
અમદાવાદ, 30 જાન્યુઆરી: દેશભરમાં સ્વાઇન ફ્લૂનો કહેર વધતો જઇ રહ્યો છે. સ્વાઇન ફ્લૂનો તાજો કેસ ગુજરાતના રાજકોટમાં નોંધાયો છે, જ્યાં એક મહિલાનું સ્વાઇન ફ્લૂથી મોત થઇ ગયું છે, તેની સાથે જ રાજકોટમાં સ્વાઇન ફ્લૂથી મરનારાઓની સંખ્યા વધીને 4 થઇ ગઇ છે. ગુજરાતમાં મરનારાઓની સંખ્યા 28 સુધી પહોંચી ગઇ છે, દર્દીઓની ટ્રીટમેન્ટ કરનારા ડોક્ટર પણ સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવી ગયા છે.
આ પહેલા સ્વાઇન ફ્લૂથી રાજસ્થાનમાં વધુ બે દર્દીઓના મોત થઇ ગયા છે અને 4 દર્દીઓમાં સ્વાઇન ફ્લૂના પોઝિટિવ લક્ષણ મળી આવ્યા છે. રાજસ્થાનમાં સ્વાઇન ફ્લૂથી મરનારાઓની સંખ્યા વધીને 33 થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂએ કહેર વર્તાવ્યો છે, જ્યારે દિલ્હીમાં પણ આ બીમારીએ 300થી વધારે લોકોને પોતાની ઝપેટમાં લઇ લીધા છે.
અમદાવાદમાં અત્યાર સુધી 2 લોકોના સ્વાઇન ફ્લૂના કારણે મોત પણ થઇ ચૂક્યા છે. રાજસ્થાનમાં સ્વાઇન ફ્લૂથી 30 લોકોના મોત થયા બાદ સરકાર સફાળી જાગી છે. સરકારે સ્વાઇન ફ્લૂની દવા ટેમી ફ્લૂની સપ્લાઇ રાજ્યો બહાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. રાજસ્થાનમાં ફ્લૂને લઇને એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે.