રાજકોટઃ 48 ઘાતક હથિયારો સાથે 19 શખ્સો ઝડપાયા
રાજકોટ, 28 ઓક્ટોબરઃ રાજકોટ શહેરમાં એસઓજીની ટીમ દ્વારા બાતમીના આધારે 48 હથિયારો સાથે 19 શખ્સોની ધરપકડ કરી શહેરમાં થનારી મોટી જૂથ અથડામણને ટાળી હતી. મળતી માહિતી અનુસાર શહેરના આજીડેમ સ્થિત માનસરોવર પાર્ક સોસાયટીની શેરી નંબર 2માં ભરવાડ મહિલા કમુબેન જીવણભાઇ મુંધવાના ઘરે કેટલાક મુસ્લિમ શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, જે સબબ પોલીસે સોમવારે નવ લોકોની ધરપકડ કરી હતી. જ્યારે બીજી તરફ ભરવાડ જૂથ આ તોડફોડનો બદલો લેવા વળતો પ્રહાર કરવાની યોજના બનાવી રહ્યું હતું.
જે 19 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે, તેમાં રઘુ મુંધવા, મુકેશ તેજા ભરવાડ, અશોક સવજી સુરાણી, મહેશ દેવજી આહિર, શામળા રામશી મોરા, બાબુ બહાદૂર ખાચર, નારણ સાંગા સિંધવ, જગા રામ જોગરાણા, લાખા મશરૂ ગમારા, ચોથા ઘુધા કોળિયા, મીઠા ગોબર સોરાણી, પોપટ નાગજી બોરસીયા, સવા સિંધા રાતડિયા, જગદીશ વલ્લભ થુમર, મુકેશ સોમા ગમારા, લાખા બાબુ વરૂ, રમેશ જીવણ મુંધવા અને કાળા વાસા મુંધવા છે.