સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના 4 હોદ્દેદારો પદ પરથી હટાવાયા
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સચિવ પદેથી નિરંજન શાહ સહિત 4 હોદ્દેદારો સુપ્રિમ કોર્ટના ચૂકાદા બાદ આપોઆપ પદ પરથી નીકળી ગયા છે...
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સચિવ પદેથી નિરંજન શાહ સહિત 4 હોદ્દેદારો સુપ્રિમ કોર્ટના ચૂકાદા બાદ આપોઆપ પદ પરથી નીકળી ગયા છે. નવા હોદ્દેદારોની પસંદગી માટે એક સપ્તાહમાં બેઠક મળશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ બીસીસીઆઇના અધ્યક્ષ અનુરાગ ઠાકુર અને સેક્રેટરી શિર્કેને સુપ્રિમ કોર્ટે પદ પરથી હટાવી દીધા હતા. સુપ્રિમ કોર્ટના ચૂકાદા બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના આ ચાર હોદ્દેદારો પદ પર રહી શકશે નહિ.
એસીએના સેક્રેટરી નિરંજન શાહ, પ્રમુખ લાલભાઇ રાઠોડ, ઉપપ્રમુખ બાલસિંહ સરવૈયા અને નાથાભાઇ સિસોદિયા સહિત ચાર હોદ્દેદારો સુપ્રિમ કોર્ટના ચૂકાદા બાદ આપોઆપ પદ પરથી નીકળી ગયા છે. આ સપ્તાહમાં મળનાર બેઠકમાં નવા સચિવ, પ્રમુખ અને ઉપપ્રમુખના નામો જાહેર કરવામાં આવશે. સમગ્ર મામલે નિરંજન શાહનું કહેવુ છે કે સુપ્રિમ કોર્ટ સર્વોપરી છે. અમે સુપ્રિમ કોર્ટના ચૂકાદાનું પાલન કરી રહ્યા છે. નવા હોદ્દેદારો કોણ આવશે તે વિશે હું કંઇ કહી શકુ નહિ.