For Quick Alerts
For Daily Alerts
સુરેન્દ્રનગરમાં દલિતોએ કર્યો ચક્કાજામ
સુરેન્દ્રનગર પાસે સાથણી જમીન ફાળવણી બાદ જમીનનો કબજો હજી સુધી ન મળતા તેના વિરોધમાં સોમવારે સવારના સમયમાં દલિત સમાજના લોકોએ સુરેન્દ્રનગર-રાજકોટ હાઇવે ચક્કાજામ કર્યો હતો અને વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું.
ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં
દલિત સમાજના લોકોએ રોડની વચોવચ આડા પડી ગયા હતા અને રસ્તા પર આવતા-જતા વાહનોને રોક્યા હતા. સાથણી જમીન ફાળવણી ઉપરાંત લીમડીના ખાડિયા ગામે દલિત યુવકની હત્યાનો મુદ્દો પણ લોકોએ ઉઠાવ્યો હતો. સમાજના લોકોએ હત્યારાને ઝડપી લેવા ઉગ્ર માગણી પણ કરી હતી.
વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ અને પુરુષોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ ઉપરાંત જમીનના કબજા માટે દલિત સમાજના લોકોએ અનેક આરોપો કર્યા છે. આ ઘટનામાં પોલીસે 10 લોકોની અટકાયત પણ કરી છે.
Comments
English summary
In Surendranagar Dalit blocked road. Read more here.
Story first published: Monday, October 17, 2016, 14:20 [IST]