BSF પર હુમલામાં 1 પાકિસ્તાની આતંકી પકડાયો
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...
BSF પર હુમલામાં 1 પાકિસ્તાની આતંકી પકડાયો
જમ્મુ કાશ્મીરમાં બીએસએફની ગાડી પર આતંકી હુમલો કરનાર આતંકી જૂથના એક આતંકીને જીવતો પકડી પાડવામાં બીએસએફે સફળતા મળી છે. નોંધનીય છે કે આ હુમલામાં બે બીએસએફના જવાનો શહીદ થયા છે. ત્યારે કસાબ બાદ આવું બીજી વાર બન્યું છે જ્યારે કોઇ આતંકીને જીવતો પકડવામાં આપણને સફળતા મળી હોય. આ આતંકીનું નામ કાસિમ ખાન છે. અને તે પાકિસ્તાનનો નિવાસી છે.
ક્રોંગ્રેસે આજે પણ સંસદ બહાર કર્યું વિરોધ પ્રદર્શન
સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા ક્રોંગ્રેસના સંસદોને સસસ્પેન્ડ કરાયા બાદ બીજા દિવસે પણ ક્રોંગ્રેસે સંસદ પરિસરમાં ગાંધીજીની મૂર્તિ સામે વિરોધ પ્રદર્શન કર્યું. વધુમાં આ વિરોધ પ્રદર્શનમાં ટીએમસી, સપા, લેફ્ટ, જદયૂ પાર્ટીના સદસ્યો પણ જોડાયા છે. બીજી તરફ સાંસદમાં આજે અન્ય ક્રોંગ્રેસી નેતાઓ ફરીથી પોસ્ટર બતાવી પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
હરદામાં ટ્વીન ટ્રેન અકસ્માતમાં 31 લોકોની મોત
મધ્યપ્રદેશના હરદામાં બે ટ્રેનો વચ્ચે અકસ્માત થતા અત્યાર સુધીમાં 31 લોકોની મોત થઇ છે અને 100થી વધુ લોકો ઇજાગ્રસ્ત છે. જે બાદ કેન્દ્રિય રેલ્વે પ્રધાન સુરેશ પ્રભુએ મૃતકોને 2 લાખ રૂપિયાનું વળતર અને ઇજાગ્રસ્તે 50 હજાર રૂપિયાથી લઇને 25 હજાર રૂપિયાના વળતર આપવાની જાહેરાત કરી છે. વધુમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ધટનાસ્થળે પહોંચીને સ્થિતિની સમીક્ષા કરી છે.
ઉધમપુરમાં બીએસએફના કાફલા પર થયો આંતકી હુમલો
જમ્મુ કાશ્મીરમાં આવેલા ઉધમપુરમાં આજે આંતકીઓએ બીએસએફના એક કાફલા પર હુમલો કર્યો છે. જેમાં બે જવાનો શહીદ થયા છે અને અન્ય 8 જવાનો ઇજાગ્રસ્ત થયા છે. જો કે સેના દ્વારા જવાબી કાર્યવાહી કરતા એક આંતકીની પણ મોત થઇ છે. સુત્રોનું માનવું છે કે અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ કરવા માટે આ આતંકી હુમલો કરવામાં આવ્યો છે.
મેગીના સેમ્પલને મળી લીલી ઝંડી, જલ્દી બજારોમાં પાછી ફરશે મેગી
નેસ્લે ઇન્ડિયાની મેગીના સેમ્પલને એફએસએસએઆઇ(FSSI) એ લીલી ઝંડી બતાવી દીધી છે. લેબ પોતાની રિપોર્ટમાં કહ્યું છે કે મેગીએ ફૂટ સેફ્ટીના તમામ નિયમોનું પાલન યોગ્ય રીતે કર્યું છે. જે બાદ મેદીના ડાયરેક્ટર સલીએ વેલજી કહ્યું છે કે તે મેગીને બની શકે તેટલી જલ્દી બજારમાં પરત લાવવા માંગે છે.
એડલ્ટ સાઇટ પર વિવાદ બાદ સરકારનો યુટર્ન
એડલ્ટ સાઇટને બેન કરવા પર ઉઠેલા વિવાદ બાદ કેન્દ્રિય સંચાર અને સૂચન પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે તે ચાઇલ્ડ પોનોગ્રાફીને રજૂ કરતી પોનોગ્રાફી સાઇટને છોડીને બાકીની અન્ય વેબસાઇટ પરથી પોતાનો બેન હટાવી લેશે. નોંધનીય છે કે મોદી સરકારે લગભગ 857 પોન સાઇટને બેન કરી છે.
પાકિસ્તાને પુંછમાં કર્યું સંધર્ષવિરામ, રહેણાંક વિસ્તારોને કરાયા ટાર્ગેટ
જમ્મુ કાશ્મીરના પુંછ વિસ્તારમાં પાકિસ્તાને ગત શનિવારથી ફાયરીંગ કરી રહ્યું છે. પહેલા તો તેણે ભારતીય સેનાની ચોકીઓ પર ફાયરિંગ કર્યું હતું પણ ગત રાતે રહેણાંક વિસ્તારો પર પણ મોટર સેલ અને નાના હથિયારો સાથે અંધાધૂધ ફાયરિંગ કરતા એક મહિલા ઇજાગ્રસ્ત થઇ છે અને મોટી સંખ્યાં લોકોના ઘર અને મિલકતને નુક્શાન પણ પહોંચ્યું છે.
બેંગ્લુરુમાં ફરી એક વાર સ્કૂલમાં માસૂમ સાથે થઇ જાતીય સતામણી
કર્ણાટકના બેંગ્લુરુમાં મંગળવારે એક શાળામાં ત્રણ વર્ષની એક બાળકીના યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. જે બાદ ભડકેલા વાલીઓએ પ્રદર્શન કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. તો બીજી તરફ પોલિસે આ મામલે એક વોચમેનની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પશ્ચિમ બંગાળના 12 જિલ્લા પૂરથી પ્રભાવિત
પશ્ચિમ બંગાળમાં સરકારે 12 જિલ્લાઓને પૂરગ્રસ્ત જાહેર કરીને બચાવ કામગિરી હાથ ધરી છે. વધુમાં મમતા બેનર્જી કહ્યું કે તે આ અંગે કેન્દ્ર સરકારથી પણ મદદ માંગશે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં રાજ્યમાં પૂરના લીધે 83 લોકોની મોત થઇ છે.
મની લોન્ડ્રિંગ મામલે લલિત મોદીની સામે ધરપકડનો વોરેન્ટ જાહેર
પૂર્વ આઇપીએલ કમિશ્નર લલિત મોદીની સામે કેન્દ્રએ પોતાની પકડ મજબૂત કરી છે. મુંબઇમાં એક વિશેષ પીએમએલઆઇ કોર્ટમાં મની લોન્ડ્રિંગ મામલે લલિત મોદીની સામે બિન જામીન વોરંટ જાહેર કરવામાં આવ્યો છે. જે બાદ લલિત મોદીને પકડીને ભારત લાવી શકાય છે.
બાળકોને મળ્યા નરેન્દ્ર મોદી
મંગળવારે ટેકનો-ચેલેન્જની હરીફાઇ જીતનાર બાળકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા.
જાટ સમુદાયે દિલ્હીમાં નીકાળી વિશાળ રેલી
મંગળવારે, દિલ્હીમાં જાટ સમુદાયના લોકોએ તેમની અનામતની માંગ સાથે મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું.
પશ્ચિમ બંગાળના પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોને ખાવાના ફાંફા
મંગળવારે, પશ્ચિમ બંગાળના હાવડા વિસ્તારમાં એક રાહત સમિતિ દ્વારા પૂરગ્રસ્ત લોકોને ભોજન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે કોમેન ચક્રવાત બાદ પશ્ચિમ બંગાળની સરકારે 12 વિસ્તારોને પૂરગ્રસ્ત જાહેર કર્યા છે.
હૈદરાબાદમાં પણ ક્રોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન
દિલ્હીની લોકસભામાં સ્પીકર દ્વારા 25 ક્રોંગ્રેસી સાંસદોને સસ્પેન્ડ કરવાની વાતનો વિરોધ મંગળવારે, હૈદરાબાદમાં પણ કરવામાં આવ્યો. ટીપીસીસીના કાર્યકર્તાઓએ મોઢા પર કાળી પટ્ટી બાંધીને હૈદરાબાદમાં આનો વિરોધ કર્યો.
સ્વદેશ પરત ફર્યા લિબિયાના અપહરણ કરાયેલા શિક્ષકો
લિબિયામાં ઇસ્લામિક સ્ટેટ દ્વારા અપહરણ કરાયેલા બે શિક્ષકો મંગળવારે, સુખરૂપ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરાષ્ટ્રિય એરપોર્ટ પર ઉતર્યા. જે બાદ લક્ષ્મીકાંતે પોતાની આપવિતી જણાવતા કહ્યું કે જ્યારે ઇસ્લામિક સ્ટેટના આતંકીઓને ખબર પડી કે અમે શિક્ષક છીએ તેમને અમને તરત જ છોડી દીધા. વધુમાં તેમણે જણાવ્યું કે આતંકીઓએ કોઇ પણ અમાનવીય વ્યવહાર તેમની જોડે નથી કર્યો. સાથે જ તેમણે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયનો પણ આભાર માન્યો.
કોલકત્તામાં વિદેશીઓ ભરતીની મઝા માણી!
મંગળવારે, કોલકત્તામાં કાલિઘાટ વિસ્તારમાં મોટી ભરતી આવ્યા બાદ રસ્તા પર પાણી ભરાતા કેટલાક વિદેશીઓએ આ પાણીની મઝા કંઇક આ રીતે માણી.
દિલ્હીમાં ક્રોંગ્રેસે શાક ભાજીના ભાવ વધારોનો કર્યો વિરોધ
મંગળવારે, દિલ્હીમાં યુવા ક્રોંગ્રેસના કાર્યકર્તાઓએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરની સામે દિલ્હીમાં શાકભાજી અને ફળોના ભાવ વધારાનો કંઇક આ રીતે વિરોધ કર્યો.
જ્યારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તબલા પર હાથ અજમાયો!
મંગળવારે, રાષ્ટ્રપતિ ભવન ખાતે બાળકોની ગેલેરી ખાતે વિજ્ઞાન અને ઇનોવેશન મ્યુઝિયમનું ઉદ્ધાટન કર્યું. ત્યારે આ પ્રસંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તબલા પર પણ પોતાનો હાથ અજમાવ્યો.
એવલીન શર્માએ IIJW માટે કર્યું રેમ્પ વોક
મુંબઇમાં મંગળવારે, બોલીવૂડ એક્ટ્રેસ એવલીન શર્માએ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ઝ્વેલરી વીક 2015 માટે યોજાયેલા ફેશન શોમાં રેમ્પ વોક કરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા.