દર મહિને કાશ્મીરમાં વિકાસનો મુદ્દો લઇને આવ્યો: પીએમ
ઉધમપુર, 28 નવેમ્બર: જમ્મૂ-કાશ્મીરના આરએસ પુરા સેક્ટરમાં આતંકીવાદી બાદ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારે સુરક્ષા વચ્ચે ઉધમપુરમાં ચૂંટણી સભાને સંબોધિત કરી રહ્યાં છે. વડાપ્રધાનને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણના થોડાંક અંશ:
- પ્રથમ તબક્કામાં લોકોએ ભારે મતદાન કરી લોકતંત્રને મજબૂત કર્યું છે.
- ભારે બહુમતીથી આતંકવાદી ગભરાઇ ગયા છે.
- જ્યારે પણ દુનિયાના કોઇ નેતા મોદી સાથે આંખ મિલાવે છે તો તેને મોદી નહી સવા સો કરોડ ભારતીયોનો ચહેરો દેખાઇ છે.
- આખો દેશ તમને શુભેચ્છા પાઠવી રહ્યો છે.
- દુનિયાને એક મોટો સંદેશ પહોચ્યોં છે કે અહીંના લોકો શું ઇચ્છે છે.
- જનતાના દર્શન ખૂબ જ સૌભાગ્યથી મળે છે, આટલા ઓછા સમયમાં મને આટલા લોકોના દર્શન કરવાની તક મળી છે.
- દુનિયા જમ્મૂ-કાશ્મીરમાં આવવા માંગે છે આપણે લોકોને સુરક્ષા આપવી જોઇએ.
- અહીં પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે દરેક સંભવ પ્રયત્ન કરવો જરૂરી છે.
- અટલ બિહારી વાજપાઇની જમ્મૂને રેલ સાથે જોડવાની મહાંત્વાકાંક્ષી યોજનાને આગળ વધારવા માટે હું સંકલ્પિત છું.
- લોકો બંગલા, ગાડી નહી રોજગાર માંગે છે.
- લોકો સંમાનથી જીવવા માંગે છે તેના માટે તે રોજગાર માંગી રહ્યાં છે.
- તે કોણા લૂંટારા લોકો છે જે જનતાના પૈસા લૂંટી રહ્યાં છે.
- ભ્રષ્ટાચાર અહીંના નેતાઓની આદતમાં જોડાઇ ગયો છે.
- પ્રથમવાર અહીં લોકોને અહેસાસ થયો કે હવે લૂંટવા દઇશું નહી.
- ત્રીસ વર્ષથી જમ્મૂ કાશ્મીરનો વિકાસ અટકેલો છે.
- દર વખતે પક્ષ બદલવામાં આવે છે પરંતુ વિકાસ ક્યારેય કર્યો નહી. જમ્મૂ કાશ્મીરને મદદ કરવા માટે દિલ્હી હંમેશા તૈયાર રહેશે.
- એ સુનિશ્વિત કરવામાં આવશે કે રૂપિયા જ્યાં પહોંચાડવામાં આવે છે ત્યાં પહોંચે છે કે નહી.
- આ દેશમાં કદાચ જ એવા કોઇ વડાપ્રધાન હશે જે દર મહિને જમ્મૂ-કાશ્મીર આવે છે.
- હું દર મહિને તમારી વચ્ચે વિકાસની વાત અને વિકાસની યોજના લઇને આવ્યો છું.
- કુદરતી આપત્તિ વખતે દરેકને તમારી સેવામાં લગાવી દિધા.