For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી પર શકીલની ટિપ્પણીથી BJP નારાજ, ભારે પડશે નિવેદન: ભાજપ

|
Google Oneindia Gujarati News

sahnawaj hussain
નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: બીજેપી નેતા શાહનવાજ હુસૈને કોંગ્રેસી નેતા શકીલ અહમદે મોદી પર કરેલા નિવેદન માટે કહ્યું કે આ નિવેદન કોંગ્રેસને ખુબ જ ભારે પડશે. શાહનવાજે જણાવ્યું કે કોંગ્રેસના પ્રવક્તાઓને બોલતા પહેલા એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે જનતા દ્વારા ચૂંટવામાં આવેલા પ્રતિનિધિ આંગે આવા પ્રકારની ટિખળ કરવી ભારે પડી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાં વિદ્યાર્થીઓને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે કહ્યું હતું કે તમારામાંથી એવું કોઇ નહીં હોય જેણે ગુજરાતનું મીઠું નહીં ખાધું હોય. મોદીનું આ વાક્ય કોંગ્રેસને વેધી ગયું અને કોંગ્રેસી નેતા શકીલ અહમદે મોદીના આ નિવેદન પર ટ્વિટર પર ટ્વિટ કરીને તીખી ટીપ્પણી કરી નાખી. શકીલ અહમદે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે 'ગુજરાતનું મીઠું બધાએ ખાધું છે પરંતુ મીઠું ખાઇને મોદીએ ગુજરાતનું જ ખુન વહેવડાવ્યું છે.' જોકે શકીલનો સીધો ઇશારો ગોધરા કાંડ તરફ છે.

શકીલ અહમદની આ ટિપ્પણી પર બીજેપી નેતા શાહનવાજ હુસૈને જણાવ્યું કે શકીલ અહમદનું નિવેદન કોંગ્રેસને ભારે પડશે. તેમણે કહ્યું કે દેશના ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ હિન્દુ આતંકવાદ પર જે કઇપણ કહ્યું છે, તેની કોઇ માફી નથી. કોંગ્રેસની તો આ આદત છે કે પહેલા ગાળ આપો અને પછી યૂ ટર્ન લઇ લો અને સુશીલ કુમાર સાચે જ માફી માંગવા ઇચ્છે છે તો તુરંત પોતાનું નિવેદન પાછું લે અને દેશની માફી માંગે.

English summary
BJP attack on congress over Sakeel ahmed's tweet against Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X