For Daily Alerts
પેટ્રોલ પંપો રાત્રે 8 વાગે બંધ કરી દેવાનો વિચાર PMOએ ફગાવ્યો
આ વિવાદાસ્પદ દરખાસ્ત અંગે પીએમઓના સૂત્રોએ જણાવ્યું કે પેટ્રોલ પંપો રાત્રે આઠ વાગ્યા પછી બંધ રાખવા જેવા નિયંત્રણની દરખાસ્તથી અર્થતંત્રને જ નુકસાન થવાની સંભાવના વધતી હોવાથી દરખાસ્તને નકારી દેવામાં આવી છે.
રવિવારે પેટ્રોલિયમ પ્રધાન વીરપ્પા મોઇલીની આવી ઘોષણા બાદ રાજકીય સ્તરે અને નાગરિકોમાં ભારે રોષની લાગણી ઉભી થઇ હતી. જેના પગલે આજે એક નિવેદન આપતા વીરપ્પા મોઇલીએ જણાવ્યું હતું કે "પેટ્રોલ પંપને રાત્રે 8 વાગ્યા પછી બંધ રાખવાનો વિચાર સરકારનો નહીં પણ લોકોમાંથી આવ્યો હતો."
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે સંસદમાં આપેલા એક નિવેદનમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે "દેશના અર્થતંત્રને પાટા પર લાવવા માટે દેશે પેટ્રોલિયમ પદાર્થોના વપરાશમાં કરકસર કરવી પડશે."
Comments
petrol pumps idea petroleum minister veerappa moily economy fuel prices petrol prices પેટ્રોલ પંપ્સ વિચાર પેટ્રોલિયમ મંત્રાલય વીરપ્પા મોઇલી અર્થતંત્ર ફ્યુઅલ કિંમતો પેટ્રોલની કિંમતો
English summary
Closing petrol pumps at 8 pm idea rejected by Prime Minister Office