શું મહિંદા રાજપક્ષેની હારમાં રૉની ભૂમિકા હતી, ભારતે કર્યો ઇનકાર
નવી દિલ્હી, (વિકિ નાન્જપ્પા): એક રિપોર્ટની માનીએ તો શ્રીલંકાએ ભારતીય ગુપ્તચર એજન્સી રિસર્ચ એનાલિસિસ વિંગ(રૉ)ના કોલંબો સ્ટેશન ચીફને સસ્પેન્ડ કરી દીધા છે. રોયટર પોલિટિકલ અને ઇંટેલીજન્સ સૂત્રોના હવાલાથી આ જાણકારી મળી છે. રૉના સ્ટેશન ચીફ પર વિપક્ષી દળોની સાથે મળીને મહિંદા રાજપક્ષેની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હારમાં ભૂમિકા નિભાવવાનો આરોપ છે અને આ આરોપ બાદ જ શ્રીલંકાએ આ નિર્ણય કર્યો હતો. મામલો ડિસેમ્બર 2014નો છે એટલે કે શ્રીલંકામાં થયેલા રાષ્ટ્રપતિ ચૂંટણીના બરાબર પહેલા.
રૉના સ્ટેશન ચીફને સસ્પેન્ડ કરવા અંગે રાજપક્ષે તરફથી જે સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેમને આ અંગે કોઇ જાણકારી નથી. બીજી તરફ નવી સરકારનું કહેવું છે કે તેમને આ પ્રકારના રિપોર્ટની જાણકારી મળી છે, પરંતુ તેઓ હાલમાં આ સમાચારને કન્ફર્મ ના કરી શકે. કોલંબો અને નવી દિલ્હીના સૂત્રોના હવાલાથી રિપોર્ટ આવી છે કે રૉના સ્ટેશન ચીફને પરત બોલાવવા માટે રાજપક્ષેએ ભારત સરકારને જણાવ્યું હતું.